રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
રાષ્ટ્રીય15 મે, 2025| Super Admin

દિલ્‍હીથી બિહાર જતી બસમાં આગ લાગી : ૫ મુસાફરો જીવતા બળીને મૃત્‍યુ પામ્‍યા

દિલ્‍હીથી બિહાર જતી બસમાં આગ લાગી : ૫ મુસાફરો જીવતા બળીને મૃત્‍યુ પામ્‍યા

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં એક હૃદયદ્રાવક અકસ્‍માત થયો. અહીં મોહનલાલગંજ વિસ્‍તારમાં, દિલ્‍હીથી બિહાર જઈ રહેલી એક સ્‍લીપર બસમાં અચાનક આગ લાગી ગઈ. આ અકસ્‍માતમાં ૫ લોકો જીવતા બળી ગયા હતા, જ્‍યારે બસમાં લગભગ ૬૦ મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા. ડ્રાઇવરે કાચ તોડી નાખ્‍યો, બસમાંથી કૂદીને ભાગી ગયો. આગ એટલી ભયંકર હતી કે માત્ર ૧૦ મિનિટમાં જ તે સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગઈ.મળતી માહિતી મુજબ, આ ઘટના લખનૌના મોહનલાલગંજ વિસ્‍તારમાં કિસાન પથ પર બની હતી, જ્‍યારે દિલ્‍હીથી બિહાર જઈ રહેલી એક ખાનગી સ્‍લીપર બસમાં અચાનક આગ લાગી ગઈ હતી. આ અકસ્‍માત ત્‍યારે થયો જ્‍યારે મોટાભાગના મુસાફરો ગાઢ નિંદ્રામાં હતા. કહેવામાં આવી રહ્યું છે કે આગ એટલી ઝડપથી ફેલાઈ ગઈ કે માત્ર ૧૦ મિનિટમાં આખી બસ બળીને રાખ થઈ ગઈ. બસમાં મુસાફરી કરતા મુસાફરોએ જણાવ્‍યું કે ધુમાડાને કારણે તેમને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. આગ લાગતાની સાથે જ અફડાતફડી મચી ગઈ. લોકો પોતાનો જીવ બચાવવા માટે દરવાજા અને બારીઓ તરફ દોડ્‍યા, પરંતુ ડ્રાઇવરની વધારાની સીટ રસ્‍તો રોકી રહી હતી. ઘણા મુસાફરો તેમાં ફસાઈ ગયા અને નીચે પડી ગયા અને બહાર નીકળી શકયા નહીં.સ્‍થાનિક લોકોના જણાવ્‍યા મુજબ, આગ એટલી ભીષણ હતી કે તે એક કિલોમીટર દૂરથી પણ દેખાતી હતી. અકસ્‍માતની જાણ થતાં જ નજીકના વિસ્‍તારના લોકો ઘટનાસ્‍થળે પહોંચી ગયા અને પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરી. માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્‍થળે પહોંચી ગઈ અને ઘણી મહેનત બાદ આગ પર કાબુ મેળવ્‍યો, પરંતુ ત્‍યાં સુધીમાં આખી બસ બળીને ખાખ થઈ ગઈ હતી. આ અકસ્‍માતમાં ૫ મુસાફરો જીવતા બળી ગયા હતા, જેમની ઓળખ હજુ સુધી થઈ નથી. અન્‍ય મુસાફરોને સમયસર બસમાંથી બહાર કાઢવામાં આવ્‍યા હતા.પ્રત્‍યક્ષદર્શીઓના જણાવ્‍યા અનુસાર, બસ ડ્રાઇવરે પહેલા કાચ તોડ્‍યો અને બસમાંથી કૂદીને ઘટનાસ્‍થળેથી ભાગી ગયો. અકસ્‍માત પછી તેનો કોઈ પત્તો લાગ્‍યો નથી. પોલીસે તેની શોધખોળ શરૂ કરી દીધી છે.પોલીસે આ ઘટના અંગે ગુનો નોંધીને અકસ્‍માતના કારણોની તપાસ શરૂ કરી છે.

સંબંધિત સમાચાર