રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
આંતરરાષ્ટ્રીય28 ફેબ્રુઆરી, 2025| Super Admin

રમઝાન પહેલા પાકિસ્તાનના મદરેસામાં બોમ્બ વિસ્ફોટ; 5 લોકોના મોત

રમઝાન પહેલા પાકિસ્તાનના મદરેસામાં બોમ્બ વિસ્ફોટ; 5 લોકોના મોત
રમઝાનના પવિત્ર મહિનામાં પાકિસ્તાનના એક મદરેસામાં મોટો બોમ્બ વિસ્ફોટ થયો છે. આમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે. બોમ્બ વિસ્ફોટ બાદ સમગ્ર વિસ્તારમાં ગભરાટનો માહોલ છે. શુક્રવારે ઉત્તરપશ્ચિમ પાકિસ્તાનમાં એક મદરેસામાં થયેલા શક્તિશાળી વિસ્ફોટમાં પાંચ લોકો માર્યા ગયા હોવાના અહેવાલ છે. જ્યારે ઘણા લોકો ઘાયલ થયા છે. સ્થાનિક પોલીસે આ માહિતી આપી. જિલ્લા પોલીસ વડા અબ્દુલ રશીદે જણાવ્યું હતું કે વિસ્ફોટ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના અક્કોરા ખટ્ટક જિલ્લામાં સ્થિત એક મદરેસામાં થયો હતો. તે દરમિયાન લોકો મદરેસામાં નમાઝ પઢી રહ્યા હતા. તેમણે કહ્યું કે અધિકારીઓ આ મામલાની તપાસ કરી રહ્યા છે અને મૃતકો અને ઘાયલોને હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા છે. ઘાયલોની સારવાર ચાલી રહી છે. આતંકવાદી સંગઠનોની શંકા; પાકિસ્તાનને શંકા છે કે આ વિસ્ફોટ કોઈ આતંકવાદી સંગઠન દ્વારા કરવામાં આવ્યો છે. એક પાકિસ્તાની અધિકારીએ જણાવ્યું હતું કે જામિયા હક્કાનીયા નામના મદરેસા પર થયેલા હુમલાની જવાબદારી હજુ સુધી કોઈ આતંકવાદી સંગઠને લીધી નથી. તેમણે કહ્યું કે આ મદરેસા અફઘાન તાલિબાન સાથેના સંબંધો માટે જાણીતું છે.

સંબંધિત સમાચાર