રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
રાજકારણ8 ફેબ્રુઆરી, 2025| Super Admin

ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાનું નિવેદન કહ્યું; દિલ્હી આપ-દા મુક્ત બની ગયું

ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાનું નિવેદન કહ્યું; દિલ્હી આપ-દા મુક્ત બની ગયું

રાજધાની દિલ્હીમાં ચૂંટણીના પરિણામો થોડીવારમાં જાહેર થશે. દિલ્હીમાં ભાજપ બહુમતી તરફ આગળ વધી રહ્યો છે. દરમિયાન, ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડાએ દિલ્હી વિધાનસભા ચૂંટણી પર પોતાની પ્રતિક્રિયા આપી છે. જેપી નડ્ડાએ આમ આદમી પાર્ટીની હારને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સક્ષમ નેતૃત્વ હેઠળ સેવા, સુશાસન, ગરીબ કલ્યાણ, અંત્યોદય અને વિકાસની નીતિઓ પર લોકોના અતૂટ સમર્થનનો વિજય ગણાવ્યો. તેમણે આ વિશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ પોસ્ટ કરી છે. https://twitter.com/JPNadda/status/1888139649211846943 જેપી નડ્ડાએ ટ્વિટર પર એક પોસ્ટમાં કહ્યું, "આપ-દા સરકારે દિલ્હીમાં ભ્રષ્ટાચાર, કુશાસન અને તુષ્ટિકરણની બધી હદો વટાવી દીધી હતી. આજે, દિલ્હી તેમના જૂઠાણા, કપટ અને છેતરપિંડીથી મુક્ત થઈ રહ્યું છે અને પ્રગતિ અને ગૌરવના નવા યુગ તરફ પોતાની સફર શરૂ કરી રહ્યું છે. આ જનાદેશ 'વિકસિત દિલ્હી - વિકસિત ભારત' ના આપણા સંકલ્પને મૂર્ત સ્વરૂપ આપશે. તેમણે વધુમાં કહ્યું, 'આપ-દા' મુક્ત દિલ્હી!' આજે, દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીનો પ્રચંડ વિજય એ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સક્ષમ નેતૃત્વ હેઠળ સેવા, સુશાસન, ગરીબોના કલ્યાણ, અંત્યોદય અને વિકાસની નીતિઓ પર લોકોના અતૂટ સમર્થનનો વિજય છે.

સંબંધિત સમાચાર