સમગ્ર રાજ્ય સાથે બનાસકાંઠા જિલ્લામાં અલગ અલગ થીમ આધારે નારી વંદન ઉત્સવ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જિલ્લા કલેકટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ આજરોજ નારી વંદન ઉત્સવ સપ્તાહ અંતર્ગત કર્મયોગી દિવસ થીમની ઉપર મહિલા કર્મચારીઓ માટે કાર્યસ્થળ પર જાતીય સતામણી (પ્રતિબંધ અને નિવારણ) અધિનિયમ, ૨૦૧૩ અંગે જાગૃતિ લાવવાના હેતુસર જિલ્લા પંચાયત હોલ પાલનપુર ખાતે સેમિનારનું આયોજન કરાયું હતું. આ સેમિનારમાં જિલ્લામાં વિવિધ કચેરીઓમાં કાર્યરત અનેક મહિલા કર્મચારીઓએ બહોળી સંખ્યામાં ઉપસ્થિતિ નોંધાવી હતી અને કાયદાકીય જ્ઞાન સાથે તેમની હક્કોની માહિતી મેળવી માર્ગદર્શન પ્રાપ્ત કર્યું હતું. આ કાર્યક્રમનો ઉદ્દેશ સમાજમાં મહિલાઓને મુખ્ય પ્રવાહમાં લાવવી, મહિલાઓને સુરક્ષા અને સલામતી પ્રદાન કરવી અને મહિલા સશક્તિકરણ કરવાનો છે તેમજ કાયદાઓ, યોજનાઓ અને જાતિગત અસામનતા દુર કરવા અંગે સમજુતી આપવાનો છે. આ કાર્યક્રમમાં જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના પી.પી. ઠાકોર, જિલ્લા મહિલા અને બાળ અધિકારી, ફિલ્ડ ઓફિસર, DHEW ટીમ તથા PBSC સ્ટાફ સહિત અધિકારીઓ/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પાલનપુર ખાતે મહિલાઓ માટે જાતીય સતામણી પ્રતિબંધ અને નિવારણ કાયદા અંગે જાગૃતિ સેમિનાર યોજાયો

ટેગ્સ:#Women Empowerment#District Collector Mihir Patel#Gender Equality#Workplace Safety#Nari Vandana Utsav Saptaha#Karmayogi Diwas#Legal Rights for Women#Palanpur Seminar
સંબંધિત સમાચાર
બનાસકાંઠાડીસા શાક માર્કેટમાં વિવાદનો વંટોળ: તંત્રના નિર્ણય સામે વેપારીઓએ બાયો ચઢાવી
3 કલાક પહેલા
બનાસકાંઠાડીસાના પંથકમાં વિકાસની નવી રફ્તાર : બનાસ નદી પર સબમર્સીબલ બ્રિજનું વિધિવત પૂજન કરાયું
5 કલાક પહેલા
બનાસકાંઠાથરાદમાં SOGનો સપાટો : ગાડીના ચોરખાનામાંથી ૨૨૪૯ બોટલ વિદેશી દારૂ ઝડપાયો, ત્રણ સામે ગુનો દાખલ
2 દિવસ પહેલા
બનાસકાંઠાસનસનાટીભરી ઘટના : પાલનપુર નાળામાંથી મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર, હત્યા કરી લાશ ફેંકી દેવાયાની આશંકા
3 દિવસ પહેલા
