રાજ્ય સરકાર દ્વારા મંજુર થયેલ વહાણા થી રાધુપુરા રોડનું ખાતમુહૂર્ત શુક્રવારે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત દ્વારા કરવામાં આવ્યું હતું.આ રોડના નિર્માણ થકી વિસ્તારના નાગરિકોની પરિવહન વ્યવસ્થા વધુ સુગમ બનશે તેવું કેબીનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું. રોડના ખાતમુહૂર્ત પ્રસંગે હેતલબેન ઠાકોર જિલ્લા પંચાયત પ્રમુખ પાટણ, ગીરીશભાઈ મોદી તાલુકા ભાજપ પ્રમુખ,પ્રહલાદજી ઠાકોર,રમેશજી ઠાકોર, બળદેવજી ઠાકોર,મહિપતસિંહ રાજપુત, રમેશભાઈ દેસાઈ, લાલાભાઇ, ચંદનજી ઠાકોર, પોપટજી (ડેલીગેટ),અનારજી, પ્રહલાદજી ઠાકોર, હરગોવનભાઈ મહારાજ, મકવાણાજી,આર.એન રાઠોડ,અમરતજી ઠાકોર, સરપંચ, તેમજ વહાણા ગામના આગેવાનો, સંગઠનના હોદ્દેદારો, કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
વહાણા થી રાધુપુરા રોડનું કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે ખાતમુહુર્ત કર્યુ

સંબંધિત સમાચાર
પાટણપાટણ હાઉસિંગ બોર્ડ સોસાયટીમાં 6 ફૂટ લાંબો ઝેરી કોબ્રા દેખાતા ફફડાટ : સુરક્ષિત રેસ્ક્યુ કરાયું
4 દિવસ પહેલા
પાટણપાટણ પાલિકાની જાહેર કરાયેલી પ્રાથમિક મતદાર યાદીમાં કુલ 1,08,999 મતદારો નોંધાયા
5 દિવસ પહેલા
પાટણચાણસ્માના ઝિલીયા ફાર્મ હાઉસ હુમલા કેસમાં 18 આરોપીઓના જામીન મંજૂર
6 દિવસ પહેલા
પાટણપાટણમાં યુથ કોંગ્રેસ દ્વારા રાંધણ ગેસના ભાવ વધારાની સાથે અછત મામલે વિરોધ પ્રદર્શન કરાયુ
6 દિવસ પહેલા
