રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
રાષ્ટ્રીય30 મે, 2025| Super Admin

ટ્રેન આવતા પહેલા રેલવે ટ્રેક પર મોટા મોટા પથ્થરો રાખી દેવાયા; લોકો પાયલટની સતર્કતાથી દુર્ઘટના ટળી

ટ્રેન આવતા પહેલા રેલવે ટ્રેક પર મોટા મોટા પથ્થરો રાખી દેવાયા; લોકો પાયલટની સતર્કતાથી દુર્ઘટના ટળી

ઉત્તરપ્રદેશમાં તેજસ રાજધાની એક્સપ્રેસ ટ્રેનને પલટવાનું ષડયંત્ર નિષ્ફળ 

(જી.એન.એસ) તા. 30

પ્રયાગરાજ,

ઉત્તરપ્રદેશના પ્રયાગરાજના ઉત્તર મધ્ય રેલવેના ભીરપુર અને મેજા રેલવે સ્ટેશન વચ્ચે એક મોટી રેલ દુર્ઘટના થતાં ટળી ગઈ છે જેમાં, તેજસ રાજધાની એક્સપ્રેસ ટ્રેનને પલટવાનું ષડયંત્ર નિષ્ફળ નીવડ્યું હતું. ટ્રેન આવતા પહેલા રેલવે ટ્રેક પર મોટા મોટા પથ્થરો રાખી દેવાયા. ઘટનાને રાત્રે અંજામ અપાયો. લોકો પાયલટની સતર્કતાથી દુર્ઘટના ટળી ગઈ. માહિતી મળતા છિવકીથી પહોંચેલી આરપીએફ પોલીસે તપાસ હાથ ધરી. જેને લઈને 10 મિનિટ સુધી ટ્રેનને રોકવી પડી. આ મામલે અજાણ્યા તત્ત્વો વિરૂદ્ધ ફરિયાદ નોંધી દેવાઈ છે.

તેજસ રાજધાની એક્સપ્રેસના રેલવે ટ્રેક પર અજાણ્યા તત્ત્વોએ મોડી રાત્રે પથ્થરો રાખી દીધા. જેની માહિતી મળતા લોકો પાયલટે ભીરપુર અને મેજા રોડ રેલવે સ્ટેશન વચ્ચે ટ્રેનને રોકી દીધી અને તેની માહિતી અધિકારીઓને આપી. માહિતી મળતા જ અધિકારીઓમાં ખળભળાટ મચી ગયો. આરપીએફની સાથે તમામ અધિકારી ઘટના સ્થળ પર પહોંચી ગયા. છિવકીથી પહોંચેલી આરપીએફે ફરિયાદ દાખલ કરીને સઘન તપાસ હાથ ધરી.

આ સમગ્ર ઘટનામાં રેલવે પોલીસ અને બજી તપાસની ટીમો દ્વારા ટ્રેનના લોકો પાયલટના નિવેદન અને ઘટના સ્થળની ફોટોગ્રાફી કરવામાં આવી, જેના આધાર પર સંયુક્ત નિરીક્ષણ નોટ તૈયાર કરાયું. રેલવે અધિકારીઓના અનુસાર, અજાણ્યા વ્યક્તિએ ડાઉન ટ્રેક પર કિલોમીટર સંખ્યા 794/18-16 ભીરપુર અને મેજા સ્ટેશનના વચ્ચે ગિટ્ટી અને પથ્થરો રાખી દીધા હતા, જેના કારણે આ ઘટના બની. જો કે, તેમાં રેલવે વિભાગને કોઈપણ પ્રકારની નુકસાન થઈ નથી.



Source link

સંબંધિત સમાચાર