રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
ગુજરાત17 ઑક્ટોબર, 2025| Super Admin

સતત લોક સમ્પર્ક, કાર્ય કુશળતા અને મંત્રી તરીકે કાર્ય શૈલીની સફળતા નું ઉત્તમ ઉદાહરણ


સુરત કામરેજનાં ધારાસભ્ય પ્રફુલ પાનસેરિયાને બીજી વખત મંત્રી તરીકેની જવાબદારી સોંપાઈ

(જી.એન.એસ) તા. 17

ગાંધીનગર/સુરત,

ગુજરાતની સરકારનાં નવા મંત્રીમંડળમાં શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા ને ફરીવાર મંત્રી પદ આપવામાં આવ્યું છે. ભાજપનાં મોવડી મંડળે પ્રફુલભાઈ પાનસેરિયાને બીજી વખત મંત્રી તરીકેની જવાબદારી સોંપી છે. 54 વર્ષીય પ્રફુલ પાનસેરિયાનો જન્મ 1 જૂન, 1971 નાં રોજ થયો હતો.

 પ્રફુલ પાનસેરિયા દક્ષિણ ગુજરાતમાંથી આવતા જાણીતા પાટીદાર ચહેરા છે. તેઓ સુરતની કામરેજ બેઠકનું પ્રતિનિધિત્વ કરે છે. વર્ષ 2012 થી તેઓ સતત આ બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. તેમણે MA અને MBA સુધીનો અભ્યાસ કર્યો છે. ગુજરાત સરકારમાં શિક્ષણ રાજ્યમંત્રી તરીકે તેમણે સેવાઓ આપી છે.

અગાઉના તેમના કાર્યકાળ દરમ્યાન તેમની વિવેક બુદ્ધિ, શાલીન સ્વભાવ, સતત લોક સમ્પર્ક, કાર્ય કુશળતા અને કાર્યશૈલી ચર્ચા માં રહી છે.

રાજ્ય સરકારમાં શિક્ષણ મંત્રી તરીકે જવાબદારી નિભાવનાર પ્રફુલ પાનસેરિયાને ફરી એકવારમાં નવા મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે. તેઓ સુરતની કામરેજ બેઠકનું પ્રતિનિધિત્વ કરે છે અને વર્ષ 2012 થી સતત આ બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાય છે. તેમણે MA (રાજનીતિ વિજ્ઞાન) અને MBA સુધીનો અભ્યાસ કર્યો છે, જે તેમને ભાજપનો એક શિક્ષિત ચહેરો બનાવે છે. પ્રફુલ પાનસેરિયાની ખાસ વાત એ છે કે તેઓ મંત્રી તરીકે બહોળો અનુભવ અને નિર્વિવાદિત નેતા તરીકેની છાપ ધરાવે છે.

પ્રફુલભાઈ ડાયમંડ સીટી સુરતથી ભાજપના યુવા મોરચાથી તેઓ રાજકીય કારકિર્દીમાં જોડાયા હતા. વર્ષ 2012 માં તેમણે પ્રથમ વખત ચૂંટણી લડી હતી, જેમાં તેમનો ભવ્ય વિજય થયો હતો તે પછી તેઓ રાજકારણમાં વધુ સક્રીય અને કાર્યશીલ રહ્યા છે. વર્ષ 2022 માં પણ કામરેજ બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેમણે રાજ્ય સરકારમાં રાજ્ય કક્ષાનાં મંત્રી તરીકે પણ મહત્ત્વની ભૂમિકા ભજવી છે. સામાજિક અને શૈક્ષણિક કાર્યો સાથે સંકળાયેલા છે. તેમણે શરૂઆત થીજ પોતાનાં રાજકીય સફરમાં સતત લોક સમ્પર્ક અને શિક્ષણને લગતા મુદ્દાઓને પ્રાધાન્ય આપી રાજ્યનો વીકાસ વધે તે માટે હર હંમેશ મહેનત કરતા જોવા મળ્યા છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતનાં રાજકારણમાં તેઓ એક પ્રભાવશાળી કાર્યશૈલીવાળું વ્યક્તિત્વ ધરાવે છે. તેમણે ફરીવાર મંત્રીમંડળમાં સ્થાન મળતા અને મંત્રી પદના શપથ લેતા તેમનાં પરિવાર અને સમર્થકોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો સાથેજ કામરેજ ભાજપ તાલુકા કાર્યાલયમાં ફટાકડા ફોડી, મોઢું મીઠું કરાવી ઉજવણી કરવામાં આવી હતી.



Source link

સંબંધિત સમાચાર