રખેવાળ
બ્રેકિંગ
તેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્નતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્ન
ગુજરાત24 જુલાઈ, 2025| Super Admin

અમદાવાદની સમર્થ સ્કૂલની બે વિદ્યાર્થિનીઓ ગુમ થઇ અને મુંબઈથી બંને મળી આવતા પોલીસે સધન તપાસ શરુ કરી 

અમદાવાદની સમર્થ સ્કૂલની બે વિદ્યાર્થિનીઓ ગુમ થઇ અને મુંબઈથી બંને મળી આવતા પોલીસે સધન તપાસ શરુ કરી 

(જી.એન.એસ) તા. 24

અમદાવાદ,

અમદાવાદ શહેરની એક શાળામાંથી બે વિદ્યાર્થિનીઓ ગુમ થયાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. લો ગાર્ડન વિસ્તારમાં આવેલી સમર્થ સ્કૂલની બે વિદ્યાર્થિનીઓ 22 જુલાઈ, 2025ના રોજ ગુમ થઈ હતી. વિદ્યાર્થિનીઓ ઘરે પરત ન ફરતા વાલીઓએ શાળામાં પૂછપરછ કરી હતી. જોકે, વિદ્યાર્થિનીઓ શાળાના પરિસરમાં આવી પાછળના રસ્તે જતી હોવાનું સીસીટીવીમાં જોવા મળ્યું હતું. સમગ્ર મામલે વિદ્યાર્થિનીના વાલીઓએ એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સીસીટીવી કેમેરા અને સર્વેલન્સના આધારે તપાસ કરતાં બંને વિદ્યાર્થિનીઓ આખરે મુંબઈમાંથી મળી આવી છે. બંને બાળકીએ મળી આવતા પરિવારે હાશકારો અનુભવ્યો છે. જ્યારે પોલીસે બંને બાળકીઓને અમદાવાદ પરત લાવવાની કામગીરી હાથ ધરી છે. 

આ મામલે મીડિયા સુત્રો થકી મળતી માહિતી મુજબ, અમદાવાદ શહેરના લૉ ગાર્ડન પાસેની સમર્થ શિક્ષણ સંકુલમાં ધોરણ 10માં અભ્યાસ કરતી બે વિદ્યાર્થિની બે દિવસ પહેલા શાળાએથી ગુમ થઈ હતી. વિદ્યાર્થિનીના વાલીનું કહેવું છે કે, ‘અમે બાળકીઓને સવારે 7:30 આસપાસ શાળાએ મુકીને ગયા હતા. જોકે, આ પછી શાળામાંથી ફોન આવ્યો હતો કે, તમારી દીકરી હજુ શાળાએ આવી નથી.’ ત્યારબાદ વિદ્યાર્થિનીઓની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. 

ગુમ બાળકીઓ બાબતે વાલીઓ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે શાળા અને અજીકના વિસ્તારના સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી હતી. જેમાં વિદ્યાર્થિનીઓ ગુમ થયાના 48 કલાક સુધી કોઈ જાણકારી સામે આવી નથી. બીજી તરફ, બાળકીનું અજાણ્યા શખ્સોએ અપહરણ કર્યું હોવાનું વાલીઓનું કહેવાથી પોલીસે એ દિશામાં પણ તપાસ હાથ ધરી હતી. અંતે બંને બાળકીઓ સલામત હાલતમાં મુંબઈથી મળી આવી છે, ત્યારે પોલીસે બાળકીઓને ઘરે લાવવાની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે બંને બાળકીઓ મુંબઈ સુધી કઈ રીતે પહોંચીને તેને લઈને હાલ કોઈ જાણકારી સામે આવી નથી.



Source link

સંબંધિત સમાચાર