રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીભારતમાં બ્લોકબસ્ટર, જાપાનમાં ફ્લોપ, 'ધુરંધર 2' ને પહેલા દિવસે માત્ર 900 દર્શકોએ જોઈશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીભારતમાં બ્લોકબસ્ટર, જાપાનમાં ફ્લોપ, 'ધુરંધર 2' ને પહેલા દિવસે માત્ર 900 દર્શકોએ જોઈ
ગુજરાત11 જુલાઈ, 2025| Super Admin

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની શુભેચ્છા મુલાકાતે ઉત્તરાખંડ રાજ્યના સહકારિતા મંત્રી શ્રી ડૉ. ધન સિંહ રાવત

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની શુભેચ્છા મુલાકાતે ઉત્તરાખંડ રાજ્યના સહકારિતા મંત્રી શ્રી ડૉ. ધન સિંહ રાવત

ગુજરાતના પ્રાકૃતિક ખેતી કરતા અનેક ખેડૂતો પ્રતિ એકર પાંચ લાખથી વધુની આવક મેળવી રહ્યા છે

(જી.એન.એસ) તા. 11

ગાંધીનગર,

ઉત્તરાખંડ રાજ્યના આરોગ્ય, શિક્ષણ અને સહકારિતા મંત્રી શ્રી ડૉ. ધન સિંહ રાવતે આજે રાજભવન, ગાંધીનગર ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની શુભેચ્છા મુલાકાત લીધી હતી. જેમાં ઉતરાખંડ રાજ્યના સહકારીતા વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ જોડાયા હતા.

આ તકે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને સહકારિતા મંત્રી શ્રી ડૉ. ધન સિંહ રાવતની પ્રાકૃતિક કૃષિ અને સહકારિતા અંગે વિચાર-વિમર્શ કર્યા હતા.

રાજ્યપાલ શ્રી એ કહ્યું હતું કે, ગુજરાતના દરેક ગામમાં પ્રાકૃતિક કૃષિ કરવામાં આવી રહી છે. રાજ્યના અનેક ખેડૂતો પ્રતિ એકર પાંચ લાખથી વધુની આવક મેળવી રહ્યા છે. પ્રાકૃતિક કૃષિ લોકોનું સ્વાસ્થ્ય, જમીન, હવા અને પાણી બચાવવા ઉપરાંત ખેડૂતોને આત્મનિર્ભર પણ બનાવી રહી છે.

આજે કોઈ કેન્સર કે હાર્ટઅટેક જેવી ગંભીર બીમારીઓથી મરવા ઇચ્છતું નથી, લોકો પોતાના આરોગ્ય પ્રત્યે સજાગ છે. આવનારો સમય પ્રાકૃતિક કૃષિનો છે. ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અને જૈવિક ખેતી (ઓર્ગેનિક ફાર્મિંગ) ને એક માને છે. જ્યાં સુધી ખેડૂતોને આ બંને વચ્ચેનો તફાવત ખ્યાલ નહીં આવે, ત્યાં સુધી કોઈ પ્રાકૃતિક કૃષિ અપનાવશે નહીં.

ઉત્તરાખંડમાં પ્રાકૃતિક કૃષિ માટે ઘણો અવકાશ છે. ત્યાંના પહાડી વિસ્તારોમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ ખૂબ ઝડપથી વધી શકે તેમ છે, તેમ જણાવી રાજ્યપાલશ્રીએ સહકારીતા અને પ્રાકૃતિક કૃષિને જોડીને વધુમાં વધુ ખેડૂતો સુધી પહોંચી શકાય તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

સહકારિતા મંત્રી શ્રી ડૉ. ધન સિંહ રાવતે રાજ્યપાલશ્રીને ઉત્તરાખંડમાં થઈ રહેલી સહકારિતા અને પ્રાકૃતિક કૃષિની પ્રવૃત્તિઓથી અવગત કરાવ્યા હતા. ઉત્તરાખંડ રાજ્યમાં સહકારિતા વિભાગ દ્વારા પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવામાં આવશે, તેમ વધુમાં જણાવ્યું હતું.



Source link

સંબંધિત સમાચાર