રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીભારતમાં બ્લોકબસ્ટર, જાપાનમાં ફ્લોપ, 'ધુરંધર 2' ને પહેલા દિવસે માત્ર 900 દર્શકોએ જોઈશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીભારતમાં બ્લોકબસ્ટર, જાપાનમાં ફ્લોપ, 'ધુરંધર 2' ને પહેલા દિવસે માત્ર 900 દર્શકોએ જોઈ
ગુજરાત11 જુલાઈ, 2025| Super Admin

ગાંધીનગર જિલ્લામાં વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલ રસ્તાઓની તાત્કાલિક મરામત કામગીરી પૂરજોશમાં

ગાંધીનગર જિલ્લામાં વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલ રસ્તાઓની તાત્કાલિક મરામત કામગીરી પૂરજોશમાં

માણસાના બોરુ,શિવકંપા ગામના એપ્રોચ  રસ્તાની રીપેરીંગ કામગીરી હાથ ધરાઈ

(જી.એન.એસ) તા.10

ગાંધીનગર,

ગાંધીનગર જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી પડેલા સતત વરસાદના કારણે અનેક વિસ્તારમાં નાના મોટા રસ્તાઓને નુકસાન પહોંચ્યું હતું. જેને લઈ ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક મરામત કામગીરી શરૂ કરવામાં આવી છે.

આજ રોજ માણસા તાલુકાના બોરુ,શિવપુરાકંપા  ગામે  એપ્રોચ રોડ ક્ષતિગ્રસ્ત થતા તાત્કાલિક પેચ વર્ક અને રીપેરીંગ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. ભારે વરસાદને કારણે રસ્તાની ઉપર પડેલી માટી તથા ખાડા ભરાઈ જતા વાહનચાલકોને હાલાકી પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી.

જિલ્લા વહીવટી તંત્રના સંકલન હેઠળ આર.એન.બી. વિભાગ દ્વારા તાત્કાલિક સ્થળ પર મશીનરી તથા મજૂર સાથે પહોંચીને માર્ગને ચાલૂ કરવાનો પ્રયત્ન શરૂ કર્યો હતો. આજે પેચ વર્ક તથા ખાડા ભરવાની કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવી છે, જેથી લોકોને વ્યવહાર માટે સરળતા રહે.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કલેકટર શ્રી ગાંધીનગરના માર્ગદર્શનમાં સમગ્ર જિલ્લામાં વરસાદથી થયેલ માર્ગ નુકશાનને પગલે સતત સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે અને તાત્કાલિક રસ્તા મરામત માટે સુયોજિત આયોજન સાથે કામગીરી હાથ ધરાઈ રહી છે.



Source link

સંબંધિત સમાચાર