રખેવાળ
બ્રેકિંગ
તેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્નતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્ન
ગુજરાત25 જૂન, 2025| Super Admin

ગ્રામ પંચાયત ચૂંટણી – અમદાવાદ જિલ્લો; તાલુકા દીઠ એક એમ સમગ્ર અમદાવાદ જિલ્લામાં ૯ સ્થળોએ થશે મતગણતરી યોજાશે

ગ્રામ પંચાયત ચૂંટણી – અમદાવાદ જિલ્લો; તાલુકા દીઠ એક એમ સમગ્ર અમદાવાદ જિલ્લામાં ૯ સ્થળોએ થશે મતગણતરી યોજાશે

અમદાવાદ જિલ્લામાં કુલ ૧૫ ગ્રામ પંચાયતો સમરસ થઈ, મતગણતરી સ્થળોએ કુલ ૨૮ મતગણતરી હોલ અને ૪૨ મતગણતરી ટેબલોની વ્યવસ્થા કરાઈ

(જી.એન.એસ) તા. 24

અમદાવાદ,

અમદાવાદ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓ તેના અંતિમ પડાવ ભણી આગળ વધી રહી છે. આવતી કાલે, એટલે કે ૨૫મી જૂનના રોજ મતગણતરી કરવામાં આવશે. તાલુકા દીઠ એક એમ સમગ્ર અમદાવાદ જિલ્લામાં ૯ સ્થળોએ મતગણતરી હાથ ધરવામાં આવનાર છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ જિલ્લામાં પાંચ તાલુકામાં કુલ મળીને ૧૫ ગ્રામ પંચાયતો સમરસ થઈ છે. વિરમગામમાં જાદવપુરા, શિવપુરા, ચંદ્રનગર, ડુમાણા, કાળીયાણા અને થોરીવડગાસ ગ્રામ પંચાયતો સમરસ થઈ છે, તો ધોલેરામાં આંબલી, કાદીપુર, ગોગલા, પીપળી અને સરસલાપરા ગ્રામ પંચાયતો સમરસ થઈ છે. દેત્રોજ-રામપુરાની કાંત્રોડી અને જેઠીપુરા, ધોળકાની ભવાનપુરા તથા સાણંદની લીલાપુર ગ્રામ પંચાયત સમરસ થઈ છે.

અમદાવાદ જિલ્લામાં જે ગ્રામ પંચાયતોમાં ચૂંટણીઓ યોજાઈ છે, તેની મતગણતરી માટે વિસ્તૃત વ્યવસ્થા કરવામાં આવી છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મતગણતરી પ્રક્રિયા સુચારુ અને પારદર્શક રીતે થાય તે સુનિશ્ચિત કરવા માટે તમામ જરૂરી આયોજન કરવામાં આવ્યું છે.

તાલુકા દીઠ એક એમ સમગ્ર અમદાવાદ જિલ્લામાં કુલ ૯ મતગણતરી સ્થળો નક્કી કરવામાં આવ્યાં છે. બાવળા તાલુકામાં એમ.સી. અમીન ગર્લ્સ હાઇસ્કૂલ, બાવળા ખાતે મતગણતરી હાથ ધરવામાં આવશે, એ જ રીતે દસ્ક્રોઈમાં મહેસૂલ ભવન ખાતે, ધોલેરામાં આઈટીઆઈ કેમ્પસમાં, ધંધુકામાં બિરલા અને હરજીવનદાસ હાઇસ્કૂલ ખાતે, વિરમગામમાં શ્રી શેઠ એમ. જે. હાઇસ્કૂલમાં, માંડલમાં શ્રી મહાત્મા ગાંધી વિનય મંદિર હાઇસ્કૂલ ખાતે, ધોળકામાં આર.ડી. શાહ આર્ટ્સ એન્ડ વી.ડી. શાહ કોમર્સ કોલેજ ખાતે, સાણંદમાં જે.ડી.જી. કન્યા વિદ્યાલય ખાતે તો દેત્રોજ-રામપુરામાં તાલુકા પ્રાથમિક શાળા, દેત્રોજ ખાતે મતગણતરી કેન્દ્રો તૈયાર કરાયાં છે, જ્યાં જે તે તાલુકાની ગ્રામ પંચાયતોની મતગણતરી હાથ ધરવામાં આવશે.

આ તમામ મતગણતરી સ્થળોએ કુલ ૨૮ મતગણતરી હોલ અને ૪૨ મતગણતરી ટેબલોની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

મતગણતરીની આ જટિલ અને મહત્ત્વપૂર્ણ કામગીરી સુપેરે પાર પડે તે માટે ૨૨૯ મતગણતરી સ્ટાફને તૈનાત કરવામાં આવશે. આ ઉપરાંત, મતગણતરી પ્રક્રિયા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ૨૯૭ પોલીસ સ્ટાફ પણ કાર્યરત રહેશે, જે સુરક્ષા અને શાંતિપૂર્ણ વાતાવરણ સુનિશ્ચિત કરશે.

મતગણતરી અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર, બાવળા તાલુકામાં ૪ ગ્રામ પંચાયતો, દસ્ક્રોઈ તાલુકામાં ૫ ગ્રામ પંચાયતો, ધોલેરામાં ૫ ગ્રામ પંચાયતો, ધંધુકા તાલુકામાં ૫ ગ્રામ પંચાયતો, વિરમગામ તાલુકામાં ૯ ગ્રામ પંચાયતો, માંડલ તાલુકામાં ૪ ગ્રામ પંચાયતો, ધોળકા તાલુકામાં ૫ ગ્રામ પંચાયતો, દેત્રોજ-રામપુરા તાલુકામાં સૌથી વધુ ૧૨ ગ્રામ પંચાયતો, અને સાણંદ તાલુકામાં ૫ ગ્રામ પંચાયતોનો સમાવેશ થાય છે.

મતગણતરી પ્રક્રિયાને નિષ્પક્ષ, શાંતિપૂર્ણ અને સુરક્ષિત વાતાવરણમાં સંપન્ન કરવા માટે જરૂરી સુરક્ષા વ્યવસ્થા અને લોજિસ્ટિક સપોર્ટ પૂરો પાડવામાં આવ્યો છે, જેથી કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને અને પરિણામો સમયસર જાહેર થઈ શકે.



Source link

સંબંધિત સમાચાર