આમ આદમી પાર્ટી (AAP) ના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટ દ્વારા ફટકારવામાં આવેલી સજાના વિરોધમાં અરવલ્લી જિલ્લામાં રાજકારણ ગરમાયું છે. 'આપ'ના કાર્યકરો અને આગેવાનોએ આ ચુકાદા સામે ઉગ્ર આક્રોશ વ્યક્ત કરતા મોડાસા શહેરમાં એક વિશાળ પદયાત્રાનું આયોજન કર્યું હતું. આ વિરોધ પ્રદર્શન દરમિયાન મોટી સંખ્યામાં ઉમટેલા કાર્યકરોએ પ્લેકાર્ડ્સ સાથે સરકાર વિરોધી જોરદાર સૂત્રોચ્ચાર કરીને કાયદો અને વ્યવસ્થાના નામે રાજકીય કિન્નાખોરી રાખવામાં આવી રહી હોવાનો આક્ષેપ કર્યો હતો. AAPના આ આક્રમક તેવરને પગલે સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ કાફલો પણ એલર્ટ મોડ પર આવી ગયો હતો.
અરવલ્લીમાં AAPનો આક્રોશ: ચૈતર વસાવા મામલે મોડાસામાં પદયાત્રા યોજી સરકારને ઘેરી

સંબંધિત સમાચાર
અરવલ્લીભિલોડા બજારમાં આખલા યુદ્ધ: વેપારીઓ અને રાહદારીઓમાં મચી ભારે અફરાતફરી
3 કલાક પહેલા
અરવલ્લીઅરવલ્લી LCBની મોટી રેડ: કઠવથ પાસેથી ₹6.66 લાખના મુદ્દામાલ સાથે દારૂનો જથ્થો ઝડપાયો
4 કલાક પહેલા
અરવલ્લીશામળાજી પોલીસની સફળતા: ગુમ થયેલો મોબાઈલ શોધી અરજદારને સોંપાયો
3 દિવસ પહેલા
અરવલ્લીમેઘરજ પોલીસની સફળતા: અપહરણ કેસનો ફરાર આરોપી કડીમાંથી ઝડપાયો
6 દિવસ પહેલા
