રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
બનાસકાંઠા21 ઑગસ્ટ, 2025| Super Admin

યાત્રાધામ અંબાજીમાં દર્શન કરવા આવેલ મહિલા યાત્રિકનું હાર્ટ એટેક થી મોત નીપજ્યું

યાત્રાધામ અંબાજીમાં દર્શન કરવા આવેલ મહિલા યાત્રિકનું હાર્ટ એટેક થી મોત નીપજ્યું

અંબાજીમાં મા અંબાના દર્શનાર્થે આવેલા ઊંઝાના વૃદ્ધાનું એકાએક હૃદયરોગનો હુમલો આવતા મોત થયું હતું. બુધવારે બપોરે ઘટેલી ઘટનાને પગલે દર્શનાર્થીઓમાં શોકની લાગણી પ્રવર્તી હતી. ઊંઝાના શારદાબેન પટેલ (ઉ.વ. 80) પરિજનો સાથે બુધવારે અંબાજીમાં મા અંબાના દર્શનાર્થે આવ્યા હતા. બપોરના સુમારે મંદિર પરિસરના પિત્તળ ગેટ નજીકના પગથિયાથી પસાર થઈ રહ્યા હતા. તે દરમ્યાન એકાએક હ્દય રોગનો હુમલો આવતા તેઓ ઢળી પડ્યા હતા. જેમને મંદિર પ્રાથમિક સારવાર કેન્દ્ર અને ત્યાંથી દેવસ્થાન ટ્રસ્ટની ઈ રિક્ષા દ્વારા અંબાજી જનરલ હિસ્પિતલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, તે દરમિયાન જ શારદાબેનનું પ્રાણ પંખેરું ઊડી ગયું હતું. હોસ્પિટલમાં હાજર તબીબોએ સી.પી.આરની કોશિશ પણ કરી હતી. પરંતુ તે પણ નિરર્થક નીવડી હતી. શારદાબેન પટેલ પંદર વર્ષ બાદ મા અંબાના દર્શનાર્થે આવ્યા હતા. તેમના એકાએક મોતને લઈ પરિજનોમાં શોકની લાગણી પ્રસરી ગઇ હતી.

સંબંધિત સમાચાર