રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીભારતમાં બ્લોકબસ્ટર, જાપાનમાં ફ્લોપ, 'ધુરંધર 2' ને પહેલા દિવસે માત્ર 900 દર્શકોએ જોઈસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીભારતમાં બ્લોકબસ્ટર, જાપાનમાં ફ્લોપ, 'ધુરંધર 2' ને પહેલા દિવસે માત્ર 900 દર્શકોએ જોઈસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી
ગુજરાત29 મે, 2025| Super Admin

અમદાવાદમાં 67 હજાર કેચપીટની સફાઇનો બીજો તબક્કો ચાલુ, વિરાટનગર, મણિનગર અને ખોખરાના વરસાદી પાણી ચંડોળામાં છોડાશે: AMC સ્ટેન્ડિંગ ચેરમેન

અમદાવાદમાં 67 હજાર કેચપીટની સફાઇનો બીજો તબક્કો ચાલુ, વિરાટનગર, મણિનગર અને ખોખરાના વરસાદી પાણી ચંડોળામાં છોડાશે: AMC સ્ટેન્ડિંગ ચેરમેન

(જી.એન.એસ) તા. 29

અમદાવાદ,

સ્માર્ટ સિટી કહેવાતા અમદાવાદનું સ્માર્ટ તંત્ર કેટલું સ્માર્ટ છે તે પુરવાર કરવા અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા ખુબજ ઉમદા કામગીરી કરવામાં આવી રહી છે.

અમદાવાદ મહાનગર પાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ કહ્યું હતું કે, શહેરમાં પ્રિ મોન્સૂન કામગીરી અંતિમ તબક્કામાં ચાલી રહી છે. શહેરમાં 67 હજાર કેચપીટની સફાઇનો બીજો તબક્કો ચાલુ છે. આ ઉપરાંત તળાવ ઊંડા કરવાની કામગારી ચાલુ છે. ખારીકટ કેનાલનું કામ પૂર્ણતાના આરે છે. ઇસ્ટર્ન અને વેસ્ટર્ન ટ્રંક લાઇનનું કામ આગામી જૂનમાં પૂર્ણ થશે. વિરાટનગર, મણિનગર અને ખોખરાના વરસાદી પાણી ચંડોળામાં છોડાશે.

આ બાબતે AMC સ્ટેન્ડિંગ ચેરમેન દ્વારા વધુમાં કહ્યું હતું કે, ગઈકાલે રાતના સમયે વરસાદ આવ્યો ત્યારે પ્રિ મોન્સૂન કામગીરી ચાલુ હતી. શહેરમા દોઢથી બે ઈંચ વરસાદમાં ઓઢવ અને નિકોલ વોર્ડમાં સર્વિસ રોડ પર પાણી ભરાયા છે. જે અંગે ચિંતા કરાઈ છે અને આગામી ચોમાસામાં વધુ પાણી ના ભરાય તેની તકેદારી રાખવામાં આવશે. મેટ્રો પ્રોજેક્ટના કામ ચાલુ હોવાથી પાણી ભરાવાની સમસ્યા થઈ છે. મોટાભાગના કામો પૂર્ણ થવાને આરે છે. જેથી આગામી ચોમાસામાં લોકોને હાલાકીનો સામનો નહીં કરવો પડે.



Source link

સંબંધિત સમાચાર