રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
રાષ્ટ્રીય29 જૂન, 2026| Super Admin

ખામેનીની અંતિમ સંસ્કારમાં સામેલ થશે 2 ભારતીય પ્રતિનિધિ

ખામેનીની અંતિમ સંસ્કારમાં સામેલ થશે 2 ભારતીય પ્રતિનિધિ

બિહારના રાજ્યપાલ લેફ્ટનન્ટ જનરલ સૈયદ અતા હસનૈન અને વિદેશ રાજ્યમંત્રી પવિત્રા માર્ગેરીતા, ભારત સરકાર વતી સુપ્રીમ લીડર આયાતુલ્લાહ સૈયદ અલી ખામેનીના અંતિમ સંસ્કારમાં હાજરી આપશે. ઈરાની સૂત્રો દ્વારા આ માહિતી જાહેર કરવામાં આવી છે. ઈરાનના ભૂતપૂર્વ સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનીના અંતિમ સંસ્કાર 4 જુલાઈથી 9 જુલાઈ દરમિયાન યોજાશે. ઈરાને પીએમ મોદીને અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માટે આમંત્રણ આપ્યું હતું. જોકે, પીએમ મોદી અંતિમ સંસ્કારમાં હાજરી આપશે નહીં. વ્યક્તિગત રીતે હાજરી આપવાને બદલે, તેમણે બે પ્રતિનિધિઓ મોકલવાનું નક્કી કર્યું છે. જનરલ સૈયદ અતા હસનૈન અને પવિત્રા માર્ગેરીતાને પ્રતિનિધિ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. એપ્રિલમાં વિદેશ રાજ્યમંત્રી પવિત્રા માર્ગેરીતાએ પણ આયાતુલ્લાહ અલી ખામેનીના સ્મારક સેવામાં હાજરી આપી હતી. ઈરાની દૂતાવાસે તેમના મૃત્યુના 40મા દિવસે (ચેહલુમ) ખામેનીને શ્રદ્ધાંજલિ આપવા માટે આ સેવાનું આયોજન કર્યું હતું.

ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને દેશના ભૂતપૂર્વ સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા આમંત્રણ આપ્યું છે. રાજદ્વારી સૂત્રોએ બુધવારે જણાવ્યું હતું કે અંતિમ સંસ્કાર 5 થી 9 જુલાઈ દરમિયાન થશે. 

ખામેનીના અંતિમ સંસ્કાર 5, 6 અને 7 જુલાઈના રોજ તેહરાન અને કોમમાં યોજાશે, જ્યારે અંતિમ સમારોહ 9 જુલાઈના રોજ મશહદ શહેરમાં યોજાશે. ખામેનીએ ત્રણ દાયકા સુધી ઈરાન પર શાસન કર્યું. 28 ફેબ્રુઆરીના રોજ ઈઝરાયલ અને અમેરિકાના ઈરાન પર સંયુક્ત હુમલામાં તેમનું મોત થયું હતું, જેના કારણે લાંબા યુદ્ધ પછી યુદ્ધવિરામ થયો હતો. 

ઈરાનના સરકારી ટેલિવિઝન, IRIB એ અહેવાલ આપ્યો છે કે ખામેનીની અંતિમ પ્રાર્થના અને વિદાય વિધિ 4 થી 9 જુલાઈ દરમિયાન થશે. ખામેનીની 28 ફેબ્રુઆરીએ ઈરાન પર ઇઝરાયલી અને યુએસના સંયુક્ત હુમલામાં હત્યા કરવામાં આવી હતી. તેમના પુત્ર, મોજતબા અલી ખામેનીને બાદમાં સર્વોચ્ચ નેતા જાહેર કરવામાં આવ્યા હતા. ખામેનીના પાર્થિવ શરીરને તેહરાનથી કોમ લઈ જવામાં આવશે, જ્યાં લોકો અંતિમ શ્રદ્ધાંજલિ આપશે. ત્યારબાદ પાર્થિવ શરીરને તેમના જન્મસ્થળ, મશહદ લઈ જવામાં આવશે, જ્યાં તેમને ઇમામ રેઝા દરગાહ સંકુલમાં દફનાવવામાં આવશે. ફેબ્રુઆરીના હુમલામાં માર્યા ગયેલા ખામેનીની પુત્રી અને જમાઈને પણ તે જ દિવસે દફનાવવામાં આવશે.

સંબંધિત સમાચાર