રખેવાળ
બ્રેકિંગ
આંતરરાષ્ટ્રીય17 મે, 2025

આવતીકાલે શું તુટશે સીઝફાયર ? ઓપરેશન સિંદુર પાર્ટ-2 નું કાઉન્‍ટડાઉન

આવતીકાલે શું તુટશે સીઝફાયર ? ઓપરેશન સિંદુર પાર્ટ-2 નું કાઉન્‍ટડાઉન
૧૮મી મે આવતી કાલની તરીખને લઇને થર થર કાંપી રહ્યું છે પાકિસ્‍તાન : પાક સંસદમાં સાંસદોએ ભારત તરફથી ફરી એટેકની આશંકા દર્શાવીઃ સાંસદો પણ ડરી રહ્યાં છેઃ કાલે યુધ્‍ધવિરામની ડેડલાઇન પુરી થાય છેઃ ભુટ્ટોએ સીઝફાયર તુટવાના આપ્‍યા સંકેતો આપ્યા છે. ભારત અને પાકિસ્‍તાન વચ્‍ચે ૧૦ મેના રોજ યુદ્ધવિરામ થયું હતું પરંતુ છેલ્લા ૨૪ કલાકમાં આપવામાં આવેલા નિવેદનોથી વાતાવરણ ફરી ગરમ થઇ ગયું છે. પાકિસ્‍તાન સંસદમાં સાંસદોએ ભારત તરફથી નવા હુમલાનો ભય વ્‍યક્‍ત કર્યો છે. બિલાવલ ભુટ્ટોએ યુદ્ધવિરામ અંગે મોટો દાવો કર્યો છે, જ્‍યારે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું કે પીકચર હજુ બાકી છે. આવી સ્‍થિતિમાં પ્રશ્‍ન એ ઊભો થાય છે કે શું ફરીથી યુદ્ધવિરામ ભંગ થશે? શું તણાવ ફરી માથું ઉંચકશે? ૧૮ મે વિશે પાકિસ્‍તાનમાં આટલી બધી ચિંતા કેમ છે ? યુદ્ધવિરામની જાહેરાતના પાંચ દિવસ પછી અમેરિકાના રાષ્‍ટ્રપતિ ટ્રમ્‍પ પોતાના નિવેદનથી પાછા હટી રહ્યા છે, પાકિસ્‍તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ, જેઓ ખોટી રીતે પોતાની જીતની ઉજવણી કરી રહ્યા છે, તેમણે અચાનક ભારતને વાતચીતની ઓફર કરી છે, પાકિસ્‍તાની સંસદસભ્‍યો ભારત તરફથી નવા હુમલાની આશંકા વ્‍યક્‍ત કરી રહ્યા છે, ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે જાહેર કર્યું છે કે પીકચર હજી બાકી છે. ઝડપથી બદલાતી ઘટનાઓએ ચર્ચાઓને વેગ આપ્‍યો છે. ૧૮ મેના રોજ કંઈક મોટું થવાની સંભાવના? તો શું ૧૮ મેના રોજ કંઈક મોટું થવાનું છે? એક તરફ પાકિસ્‍તાનમાં આતંકવાદીઓના ચહેરા પર હવે ઓપરેશન સિંદૂરનો ભય સ્‍પષ્ટપણે દેખાઈ રહ્યો છે તો બીજી તરફ, ૧૮ મેની તારીખ પાકિસ્‍તાની સંસદમાં સાંસદોને ડરાવી રહી છે. આ ડર ઓપરેશન સિંદૂર ભાગ-૨ નો છે. પાકિસ્‍તાની સાંસદ સૈયદ શિબલી ફરાઝે કહ્યું કે તેઓ ખાલી નહીં બેસે...હવે આપણે ખૂબ સાવધ રહેવું પડશે. પાકિસ્‍તાની સાંસદો હુમલાથી ડરે છે પાકિસ્‍તાનના સંસદ સભ્‍યોએ ખુલ્લેઆમ ભારત તરફથી ફરી એક હુમલાનો ભય વ્‍યક્‍ત કર્યો છે. પાકિસ્‍તાની સાંસદો ડરી ગયા છે અને આ ડર ફક્‍ત સંસદ પૂરતો મર્યાદિત નથી. પાકિસ્‍તાની સેનાના રક્ષણ હેઠળ પણ, આતંકવાદના માસ્‍ટરોને બુલેટપ્રૂફ કાચ પાછળ છુપાઈ રહેવું પડે છે. મતલબ કે, પાકિસ્‍તાન દુનિયાને બતાવવા માટે ખોટી રીતે વિજયની ઉજવણી કરી રહ્યું છે, દેશના વડા પ્રધાન અને આર્મી ચીફ એક પછી એક લશ્‍કરી ઠેકાણાઓની મુલાકાત લઈ રહ્યા છે અને વિજયની જાહેરાત કરી રહ્યા છે, પરંતુ વાસ્‍તવિકતા એ છે કે પાકિસ્‍તાન ૧૮ મેની તારીખથી ડરી રહ્યું છે. ઓપરેશન સિંદૂર ભાગ-૨ નું કાઉન્‍ટડાઉન શરૂ? ભારતે પહેલાથી જ સ્‍પષ્ટ કરી દીધું છે કે યુદ્ધવિરામ શાંતિની શરૂઆત નથી પરંતુ માત્ર એક વિરામ છે. જ્‍યાં સુધી પાકિસ્‍તાન આતંકવાદ સામે નિર્ણાયક પગલાં નહીં લે, ત્‍યાં સુધી શાંતિની આશાઓ માત્ર એક ભ્રમણા છે. આવી સ્‍થિતિમાં, પ્રશ્‍ન એ ઊભો થાય છે કે શું આતંકવાદીઓને વળતર આપ્‍યા પછી ફસાયેલા પાકિસ્‍તાનમાં ઓપરેશન સિંદૂર ભાગ-૨નું કાઉન્‍ટડાઉન શરૂ થઈ ગયું છે? શું આગામી નિશાના પર હાફિઝ સઈદ અને મસૂદ અઝહર જેવા ચહેરાઓ છે? શું ટાર્ગેટ-૯ ટ્રેલર હતું અને ટાર્ગેટ-૨૧ એ સંપૂર્ણ ચિત્ર છે.

સંબંધિત સમાચાર