રખેવાળ
બ્રેકિંગ
રાષ્ટ્રીય12 જુલાઈ, 2025

દિલ્હીમાં ચાર માળની ઇમારત ધરાશાયી કાટમાળ નીચે દટાઈ જવાથી બે લોકોના મોત

દિલ્હીમાં ચાર માળની ઇમારત ધરાશાયી કાટમાળ નીચે દટાઈ જવાથી બે લોકોના મોત

ઉત્તર-પૂર્વ દિલ્હીના વેલકમ વિસ્તારમાં ચાર માળની ઇમારત ધરાશાયી થઈ હતી, જેમાં 2 લોકોના મોત થયા હતા. આ ઘટનામાં કેટલાક લોકો કાટમાળમાં ફસાયા હોવાના અને ઘાયલ થયા હોવાના અહેવાલો પણ છે. અત્યાર સુધીમાં 4 લોકોને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું હતું કે ઘણી એજન્સીઓ બચાવ કામગીરીમાં રોકાયેલી છે. અધિકારીએ જણાવ્યું હતું કે, સવારે સાત વાગ્યે એક ઇમારત ધરાશાયી થવાની માહિતી મળી હતી. સાત ફાયર એન્જિન સહિત ઘણી ટીમો કામ કરી રહી છે.

સંબંધિત સમાચાર