રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
રાષ્ટ્રીય14 ઑગસ્ટ, 2025| Super Admin

કુપવાડામાં સુરક્ષાદળોને મોટી સફળતા : આતંકીઓના મદદગારોની ધરપકડ

કુપવાડામાં સુરક્ષાદળોને મોટી સફળતા : આતંકીઓના મદદગારોની ધરપકડ
ઓપરેશન દરમ્‍યાન ભારે માત્રામાં શસ્‍ત્રો-દારૂગોળો જપ્‍ત કર્યા : સર્ચ ઓપરેશન શરૂ સ્‍વતંત્રતા દિવસ પહેલા, સુરક્ષા દળોએ જમ્‍મુ અને કાશ્‍મીરના કુપવારા જિલ્લામાં મોટી સફળતા મેળવી છે. સુરક્ષા દળોએ ઉત્તર કાશ્‍મીરના હંદવારા ક્ષેત્રના વજહામા વિસ્‍તારમાં લશ્‍કર-એ-તૈયબા સાથે સંકળાયેલા ત્રણ આતંકવાદી સહયોગીઓ (ઓવર ગ્રાઉન્‍ડ વર્કર્સ) ની ધરપકડ કરી છે. આ કામગીરી દરમિયાન મોટી માત્રામાં અને દારૂગોળો પણ જપ્ત કરવામાં આવ્‍યો છે. સુરક્ષા દળોને બાતમી મળી હતી કે હંદવાડાના વજહામામાં આતંકવાદી પ્રવળત્તિઓને અંજામ આપવાનું કાવતરું ઘડવામાં આવી રહ્યું છે. તેના આધારે, ભારતીય સેના અને જમ્‍મુ અને કાશ્‍મીર પોલીસે સંયુક્‍ત કાર્યવાહી હાથ ધરી હતી. આ કામગીરીમાં, ત્રણ શંકાસ્‍પદોની અટકાયત કરવામાં આવી હતી, જેમની ઓળખ લશ્‍કર-એ-તૈયબા માટે કામ કરતા સહયોગીઓ તરીકે થઈ હતી. પોલીસના જણાવ્‍યા અનુસાર, ધરપકડ કરાયેલા લોકોની પૂછપરછ ચાલી રહી છે, અને તેમની પાસેથી મળી આવેલા હથિયારોમાં પિસ્‍તોલ, હેન્‍ડ ગ્રેનેડ અને અન્‍ય વાંધાજનક સામગ્રીનો સમાવેશ થાય છે. સ્‍વતંત્રતા દિવસની આસપાસ આતંકવાદીઓના કોઈપણ મોટા કાવતરાને નિષ્‍ફળ બનાવવા માટે આ કાર્યવાહીને એક મહત્‍વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. જમ્‍મુ અને કાશ્‍મીર પોલીસ અને સેનાએ આ કાર્યવાહીને વિસ્‍તારમાં શાંતિ અને સુરક્ષા જાળવવાની તેમની પ્રતિબદ્ધતાના ભાગ રૂપે વર્ણવી છે. અધિકારીઓએ જણાવ્‍યું હતું કે, આતંકવાદી નેટવર્કને નબળું પાડવા અને સ્‍થાનિક લોકોની સલામતી સુનિશ્‍ચિત કરવા માટે આવા ઓપરેશન સતત ચાલુ રહેશે.    

સંબંધિત સમાચાર