રખેવાળ
બ્રેકિંગ
રાષ્ટ્રીય8 મે, 2025

સાઉદી અરેબિયાના વિદેશ મંત્રી ભારતની મુલાકાતે; એસ જયશંકર ને મળ્યા

સાઉદી અરેબિયાના વિદેશ મંત્રી ભારતની મુલાકાતે; એસ જયશંકર ને મળ્યા

ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ પર તણાવ ચાલુ છે. બીજી તરફ, સાઉદી અરબના મંત્રીઓ અચાનક ભારતની મુલાકાતે આવી પહોંચ્યા છે. અહેવાલો અનુસાર, સાઉદી અરેબિયાના વિદેશ રાજ્યમંત્રી અદેલ અલજુબેરે વિદેશ મંત્રી એસ જયશંકર સાથે મુલાકાત કરી છે. સાઉદી વિદેશ રાજ્યમંત્રીની આ મુલાકાત પહેલાથી જ નક્કી હતી. ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે સોશિયલ મીડિયા સાઇટ X પર આ અંગે એક પોસ્ટ શેર કરી. પોસ્ટ શેર કરતા એસ જયશંકરે લખ્યું, 'આજે સવારે સાઉદી અરેબિયાના વિદેશ રાજ્યમંત્રી અદેલ અલજુબેર સાથે સારી મુલાકાત થઈ.' આતંકવાદ સામે મજબૂતીથી લડવા માટે ભારતના વિઝનને શેર કર્યું. https://twitter.com/DrSJaishankar/status/1920345809519874381 ભારતીય સેનાએ પાકિસ્તાનમાં 9 આતંકવાદી ઠેકાણાઓ પર મિસાઈલોથી હુમલો કર્યો હતો. આ હુમલામાં 100 થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા છે. ઉપરાંત, મસૂદ અઝહરના પરિવારના 10 સભ્યોના મોત થયા છે, ત્યારબાદ મસૂદ અઝહરે પોતાનું દુઃખ વ્યક્ત કરતું નિવેદન બહાર પાડ્યું અને પછી ભારતને ધમકી આપી. આ હુમલા બાદથી, પાકિસ્તાની સેના સરહદ પારથી સતત ગોળીબાર અને તોપમારો કરી રહી છે. તેમજ પાકિસ્તાની સેના નિર્દોષ ભારતીયોને નિશાન બનાવી રહી છે.

સંબંધિત સમાચાર