રવિવારે ઉત્તર પ્રદેશના વારાણસીમાં ઈન્ડિગો એરલાઈન્સના એક વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું. અહેવાલો દર્શાવે છે કે બોમ્બની ધમકીને કારણે વિમાનનું વારાણસીના લાલ બહાદુર શાસ્ત્રી એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું. લેન્ડિંગ પછી વિમાનની તપાસમાં કોઈ વિસ્ફોટક કે શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે સુરક્ષા એજન્સીઓ આ મામલાની તપાસ કરી રહી છે. સત્તાવાર પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ઇન્ડિગો ફ્લાઇટ હૈદરાબાદથી વારાણસી જઈ રહી હતી. વિમાનમાંથી એક કાગળ મળી આવ્યો હતો, જેમાં લખેલું હતું કે વિમાનમાં બોમ્બ મૂકવામાં આવ્યો છે અને તે ગમે ત્યારે વિસ્ફોટ થઈ શકે છે. ઘટનાની જાણ થતાં, ફ્લાઇટ ક્રૂએ એર ટ્રાફિક કંટ્રોલ રૂમને જાણ કરી. ત્યારબાદ સુરક્ષા કારણોસર વિમાનનું વારાણસીના બાબતપુર એરપોર્ટ પર કટોકટી ઉતરાણ કરવામાં આવ્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે વારાણસી એરપોર્ટ પર વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ થયા પછી, બોમ્બ સ્ક્વોડ, ફાયર એન્જિન, CISF કર્મચારીઓ અને પોલીસ તાત્કાલિક પહોંચ્યા અને પ્રોટોકોલ મુજબ મુસાફરો અને વિમાનની સઘન તપાસ હાથ ધરી. શોધખોળ દરમિયાન, વિમાનને એરપોર્ટના પૂર્વ છેડે રોકવામાં આવ્યું હતું, અને મુસાફરોને નીચે ઉતારવામાં આવ્યા હતા.
રાષ્ટ્રીય2 ફેબ્રુઆરી, 2026
બોમ્બ હોવાની જાણ થતાં વિમાનનું વારાણસીમાં ઇમરજન્સી લેન્ડિંગ, લોકોમાં ડરનો માહોલ

સંબંધિત સમાચાર
રાષ્ટ્રીયડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન : અદાણી ડિફેન્સે પ્રથમ સ્વદેશી લાઇટ મશીનગન ભારતીય સેનાને સોંપી
12 કલાક પહેલા
રાષ્ટ્રીયસીએમ પુષ્કર સિંહ ધામીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી
16 કલાક પહેલા
રાષ્ટ્રીયઈરાન યુદ્ધ વચ્ચે પીએમ મોદીની મુખ્યમંત્રીઓ સાથે મુલાકાત
1 દિવસ પહેલા
રાષ્ટ્રીયઈરાન યુદ્ધ વચ્ચે પીએમ મોદી મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે
1 દિવસ પહેલા
