રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
રાષ્ટ્રીય6 ડિસેમ્બર, 2025| Super Admin

ઇન્ડિગો એરલાઇન્સની 2000થી વધુ ફ્લાઇટ્સ રદ મુસાફરોની મુશ્કેલીમાં વધારો

ઇન્ડિગો એરલાઇન્સની 2000થી વધુ ફ્લાઇટ્સ રદ મુસાફરોની મુશ્કેલીમાં વધારો
ઇન્ડિગો એરલાઇન્સે છેલ્લા 4 દિવસમાં 2000થી વધુ ફ્લાઇટ્સ રદ કરીને મુસાફરોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. પરંતુ આવું પહેલીવાર બન્યું નથી. લોકલસર્કલ્સના સર્વે મુજબ, છેલ્લા એક વર્ષમાં આ કંપની વિરુદ્ધની ફરિયાદોમાં 63% નો વધારો થયો છે. આ સર્વેમાં સામે આવ્યું છે કે ઇન્ડિગોથી મુસાફરી કરનારા 54% મુસાફરોએ ફ્લાઇટમાં મોડું થવાથી અને સ્ટાફના ખરાબ વર્તનની ફરિયાદો કરી છે. દેશના એરલાઇન માર્કેટમાં ઇન્ડિગોનો હિસ્સો 60% છે. સર્વેમાં મુસાફરોએ છેલ્લા 12 મહિનામાં ફ્લાઇટ રદ થવી, મોડી પડવી અને સેવા સંબંધિત સમસ્યાઓની સૌથી વધુ ફરિયાદો કરી છે. એટલું જ નહીં, પાઇલટ અને ક્રૂની અછતને કારણે કંપનીને માત્ર નવેમ્બર મહિનામાં 1,232 ફ્લાઇટ્સ રદ કરવી પડી છે. સ્ટાફના વર્તનની સૌથી વધુ ફરિયાદો; લોકલસર્કલ્સના સર્વેમાં મુસાફરોને 15 સમસ્યાઓ પસંદ કરવાનો વિકલ્પ આપવામાં આવ્યો હતો. તેમાં 15,938 મુસાફરોએ 15 મુદ્દાઓમાંથી એકથી વધુ સમસ્યાઓની ફરિયાદ કરી હતી. 54% લોકોએ ફ્લાઇટ સમયસર ન ઊડવાને મોટી સમસ્યા ગણાવી હતી. આ સાથે 54% લોકોએ સ્ટાફના વર્તનની ફરિયાદ કરી હતી. 45% મુસાફરોએ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમને માહિતી મોડી અથવા અધૂરી આપવામાં આવી હતી. 42% લોકોએ સામાન સંભાળવાની ફરિયાદ કરી હતી. 32% લોકોએ ગ્રાહક સેવા પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી.

સંબંધિત સમાચાર