રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
રાષ્ટ્રીય28 જૂન, 2025| Super Admin

પંજાબમાં ભ્રષ્ટાચાર સામે મોટી કાર્યવાહી : જેલના ૨૫ અધિકારીઓ સસ્‍પેન્‍ડ

પંજાબમાં ભ્રષ્ટાચાર સામે મોટી કાર્યવાહી : જેલના ૨૫ અધિકારીઓ સસ્‍પેન્‍ડ
સરકારે ભ્રષ્ટાચાર સામે કડક પગલાં લીધાઃ જેલમાં પ્રવર્તતા ભ્રષ્ટાચાર અને ડ્રગ નેટવર્કનો પર્દાફાશઃ ૨૫ જેલ અધિકારીઓ અને કર્મચારીઓ સસ્‍પેન્‍ડ
પંજાબમાં સરકારે ભ્રષ્ટાચાર વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. પંજાબની ભગવંત માન સરકારએ ભ્રષ્ટાચાર સામે મોટી કાર્યવાહી કરી છે. જેલમાં કામગીરી સુધારવા માટે અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. સરકારે ભ્રષ્ટાચાર વિરુદ્ધ વિવિધ જેલોના ૨૫ અધિકારીઓને સસ્‍પેન્‍ડ કર્યા છે. રાજ્‍યની જેલમાં કામગીરી સુધારવા માટે અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે.  ભ્રષ્ટાચાર વિરુદ્ધ કાર્યવાહી કરતા પંજાબ સરકારે શુક્રવારે રાજ્‍યની વિવિધ જેલોના ૨૫ અધિકારીઓને સસ્‍પેન્‍ડ કર્યા છે. આમાં ૩ ડેપ્‍યુટી સુપરિન્‍ટેન્‍ડેન્‍ટ અને ૨ આસિસ્‍ટન્‍ટ સુપરિન્‍ટેન્‍ડેન્‍ટ સહિત ૨૫ જેલ કર્મચારીઓનો સમાવેશ થાય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ભગવંત માન સરકારનો આ નિર્ણય ભ્રષ્ટાચાર અને ડ્રગ નેટવર્કને સમાપ્ત કરવાનો છે. કારણ કે સરકારને જેલની અંદર ભ્રષ્ટાચાર અને ડ્રગ નેટવર્ક વિશે માહિતી મળી હતી. જેલમાં ભ્રષ્ટાચાર અને ડ્રગ્‍સ નેટવર્ક વિશે માહિતી મળી રહી હતી, જેના પછી સરકાર સતર્ક થઈ ગઈ છે. આ મામલે સરકાર દ્વારા વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે. સરકારી પ્રવક્‍તાએ જણાવ્‍યું હતું કે, સસ્‍પેન્‍શનનો હેતુ જેલના સંચાલનમાં સુધારો કરવાનો અને વધુ પારદર્શિતા સુનિヘતિ કરવાનો છે. પ્રવક્‍તાએ એમ પણ કહ્યું હતું કે, આ કાર્યવાહીથી જેલ વ્‍યવસ્‍થામાં સુધારો થશે અને વધુ જવાબદારી સુનિヘતિ થવાની અપેક્ષા છે.આમ આદમી પાર્ટીની ભગવંત માન સરકારે પંજાબના યુવાનોને ડ્રગ્‍સના ચુંગલમાંથી મુક્‍ત કરવાનો નિર્ણય લીધો છે. સરકાર દ્વારા આ સંદર્ભમાં ઘણા મોટા પગલાં લેવામાં આવી રહ્યા છે. આ ક્રમમાં, માન સરકાર ડ્રગ્‍સના નાબૂદીમાં અવરોધ બનનારાઓને સહન કરશે નહીં આ દરમિયાન, પંજાબમાં લોકોને ડ્રગ્‍સ સામે પણ જાગળત કરવામાં આવી રહ્યા છે. આ સાથે, તેમને મદદ કરવા માટે પુનર્વસન કેન્‍દ્રો પણ બનાવવામાં આવ્‍યા છે. એટલું જ નહીં, રાજ્‍યની જેલોમાં ભ્રષ્ટાચાર અને ડ્રગ નેટવર્કને સમાપ્ત કરવા માટે પણ પગલાં લેવામાં આવ્‍યા છે.પંજાબ સરકાર વ્‍યસન અને ડ્રગ્‍સ સામે લડવા માટે અનેક મોટા પગલાં લઈ રહી છે. ભગવંત માન સરકારે ગુરુવારે, ૨૬ જૂણના રોજ અનન્‍યા બિરલા ફાઉન્‍ડેશન સાથે ડેટા ઇન્‍ટેલિજન્‍સ અને ટેકનિકલ સપોર્ટ યુનિટ બનાવવા માટે એક એમઓયુ પર હસ્‍તાક્ષર કર્યા. આ અંગે મુખ્‍યમંત્રી ભગવંત માને કહ્યું કે, આ પહેલ પંજાબ સરકારની ડ્રગ્‍સ સામે ચાલી રહેલી લડાઈનો એક ભાગ છે. ડેટા ઇન્‍ટેલિજન્‍સ અને ટેકનિકલ સપોર્ટ યુનિટ પંજાબમાં ડ્રગ્‍સના જોખમનો સામનો કરવામાં મદદ કરશે. પંજાબ મુખ્‍યમંત્રી ભગવંત માને કહ્યું હતું કે, આ એમઓયુ ડ્રગ્‍સ નિવારણ અને પુનર્વસન માટે પંજાબ સરકારના પ્રયાસોનો એક ભાગ છે.

સંબંધિત સમાચાર