પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં ધરપકડ કરાયેલી જ્યોતિ મલ્હોત્રાના રિમાન્ડ ચાર દિવસ માટે લંબાવવામાં આવ્યા છે. પોલીસે રાત્રે જ્યોતિ મલ્હોત્રાની તબીબી તપાસ કરાવી. ત્યારબાદ આજે સવારે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યોતિને હાઇ સિક્ટોરિટીમાં લાવવામાં આવી હતી. આ દરમિયાન તેના પરિવારના સભ્યોને પણ તેની નજીક આવવા દીધા નહોતા. જ્યોતિની 16 મેના રોજ ધરપકડ કરાઈ હતી. બાદમાં તે 5 દિવસના રિમાન્ડ પર હતી, ત્યારે હિસાર પોલીસ ઉપરાંત NIA, મિલિટરી ઇન્ટેલિજન્સ, IB અને અન્ય ગુપ્તચર એજન્સીઓ દ્વારા તેની પૂછપરછ કરવામાં આવી હતી. NIA સૂત્રોના જણાવ્યા અનુસાર, પહેલગામ આતંકવાદી હુમલામાં જ્યોતિની ભૂમિકાની તપાસ કરવામાં આવી રહી છે. પહેલગામ હુમલા પહેલાં અને પછી તે કયા લોકોના સંપર્કમાં હતી? તેણે કોની-કોની સાથે વાત કરી? આ સંદર્ભે તેના મોબાઇલની તપાસ કરવામાં આવી રહી છે.
રાષ્ટ્રીય22 મે, 2025
જ્યોતિ મલ્હોત્રાના ચાર દિવસના રિમાન્ડ લંબાવવામાં આવ્યા

ટેગ્સ:#police investigation#National Investigation Agency#Pahalgam Terror Attack#Medical Examination#Counter-Terrorism Operations#Jyoti Malhotra#Remand Extension#Spying Charges#Pakistan Espionage#High Security Detention#Hisar Police#Military Intelligence#Intelligence Bureau#Communication Analysis#Mobile Phone Examination
સંબંધિત સમાચાર
રાષ્ટ્રીયકોંગ્રેસના બ્લોક પ્રમુખની હત્યા, બાઇક સવાર હુમલાખોરોએ કુહાડીથી હુમલો કર્યો
5 કલાક પહેલા
રાષ્ટ્રીયઈરાન સંકટ વચ્ચે મોદી સરકારનો મોટો નિર્ણય, ઘરેલુ ઉપયોગ માટે કેરોસીન ઉપલબ્ધ થશે
5 કલાક પહેલા
રાષ્ટ્રીયપેટમાં દુખાવો, ઉલટી અને ઝાડા... રામ નવમીનો પ્રસાદ ખાધા પછી 60 લોકો બીમાર, 46 હોસ્પિટલમાં દાખલ
8 કલાક પહેલા
રાષ્ટ્રીયભારત માટે મોટી રાહત, વધુ 2 LPG જહાજો સુરક્ષિત રીતે હોર્મુઝથી રવાના થયા
8 કલાક પહેલા
