રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
રાષ્ટ્રીય11 ઑગસ્ટ, 2025| Super Admin

‘એક દેશ એક ચૂંટણી' પર જેપીસીની બેઠક યોજાશે

‘એક દેશ એક ચૂંટણી' પર જેપીસીની બેઠક યોજાશે
સમિતિના સભ્‍યો નિષ્‍ણાતોની પેનલ સાથે વાતચીત કરશે : જેપીસીની બેઠકમાં લોકસભા અને રાજ્‍ય વિધાનસભાઓની એકસાથે ચૂંટણીઓ યોજવાની શકયતાઓ અને પડકારો પર ચર્ચા થવાની શકયતા છે એક દેશ એક ચૂંટણી બિલ પર સંયુક્‍ત સંસદીય સમિતિની બેઠક આજે (૧૧ ઓગસ્‍ટ) યોજાશે. આ બેઠક બપોરે ૩ વાગ્‍યે યોજાશે. આ દરમિયાન, સમિતિના સભ્‍યો નિષ્‍ણાતોની પેનલ સાથે વાતચીત કરશે. માહિતી અનુસાર, જેપીસીની આ બેઠક સંસદીય એનેક્‍સીના મુખ્‍ય સમિતિ ખંડ (એમસીઆર) માં યોજાશે. આ જેપીસી બેઠકમાં ઘણા નિષ્‍ણાતો પોતાના મંતવ્‍યો શેર કરવા પહોંચશે.એવું કહેવામાં આવી રહ્યું છે કે આજની આ બેઠક દરમિયાન બે નિષ્‍ણાતો ભાગ લેશે, જેમાં દિલ્‍હી યુનિવર્સિટીના મિરાન્‍ડા હાઉસના પ્રો. જી. ગોપાલ રેડ્ડી; હરિયાણા સેન્‍ટ્રલ યુનિવર્સિટીના પ્રો. સુષ્‍મા યાદવ; રાજ્‍યસભાના ભૂતપૂર્વ સભ્‍ય ડૉ. વિનય સહષાબુદ્ધે રાષ્‍ટ્રીય સામાજિક વિજ્ઞાન પરિષદના પ્રો. શીલા રાય અને ગુવાહાટી યુનિવર્સિટીના પ્રો. નાની ગોપાલ મહંતનો સમાવેશ થાય છે. આજના સત્ર દરમિયાન ભારતમાં લોકસભા અને રાજ્‍ય વિધાનસભાઓની એક સાથે ચૂંટણી યોજવાની શકયતાઓ અને પડકારો પર ચર્ચા થવાની શકયતા છે. આ ઉપરાંત, જેપીસી ૧૯ ઓગસ્‍ટના રોજ એક રાષ્‍ટ્ર એક ચૂંટણી બિલ પર ભારતના ભૂતપૂર્વ મુખ્‍ય ન્‍યાયાધીશ જસ્‍ટિસ સંજીવ ખન્ના સાથે વધુ વાતચીત કરશે.ઉલ્લેખનીય છે કે અગાઉ ૩૦ જુલાઈના રોજ જેપીસી બેઠક યોજાઈ હતી. આમાં, ભૂતપૂર્વ રાજ્‍યસભા સભ્‍ય અને ભારતના પંદરમા નાણા પંચના અધ્‍યક્ષ એનકે સિંહ અને અશોકા યુનિવર્સિટીના અર્થશાષાના પ્રોફેસર ડૉ. પ્રાચી મિશ્રાએ એક પ્રેઝન્‍ટેશન આપ્‍યું હતું. તે દિવસે બેઠકથી વાકેફ એક સૂત્રએ દાવો કર્યો હતો કે તેમના પ્રેઝન્‍ટેશનમાં એક સાથે ચૂંટણીઓના આર્થિક ફાયદાઓ પર પ્રકાશ પાડવામાં આવ્‍યો હતો, જેમાં ઉચ્‍ચ વાસ્‍તવિક જીડીપી વળદ્ધિનો સમાવેશ થાય છે. એવો દાવો કરવામાં આવ્‍યો હતો કે એક સાથે ચૂંટણીઓ યોજવાથી વાસ્‍તવિક જીડીપી વળદ્ધિમાં ૧.૫% નો વધારો થઈ શકે છે, જે નાણાકીય વર્ષ ૨૪માં રૂ. ૪.૫ લાખ કરોડની સમકક્ષ છે, જે કુલ આરોગ્‍ય બજેટનો અડધો ભાગ અથવા શિક્ષણ બજેટનો ત્રીજો ભાગ છે.      

સંબંધિત સમાચાર