રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
રાષ્ટ્રીય5 નવેમ્બર, 2024| Super Admin

દિવાળીના ત્રણ જ દિવસમાં આગ લાગવાથી દાજીજવાનાં 15 હજારથી વધુ ઇમરજન્સી કેસ નોંધાયા

દિવાળીના ત્રણ જ દિવસમાં આગ લાગવાથી દાજીજવાનાં 15 હજારથી વધુ ઇમરજન્સી કેસ નોંધાયા

દિવાળીના ત્રણ દિવસમાં રાજ્યમાં કુલ 15,179 ઈમરજન્સી કેસ નોંધાયા છે. જેમાં રોજના સરેરાશ 5,060 કેસ નોંધાયા હતા. જેમાં સામાન્ય દિવસની સરખામણીએ સરેરાશ 4504ની સરખામણીએ 12.34 ટકાનો વધારો નોંધાયો હતો. ગુજરાતીઓએ ફટાકડા ફોડીને દિવાળીની ઉજવણી કરી હતી. આના કારણે રાજ્યના વિવિધ ભાગોમાં આગની ઘટનાઓ, શારીરિક ઇજાઓ અને માર્ગ અકસ્માતો સહિત અનેક ઘટનાઓ બની હતી. દિવાળીના ત્રણ દિવસમાં રાજ્યમાં કુલ 15,179 ઈમરજન્સી કેસ નોંધાયા છે. જેમાં રોજના સરેરાશ 5,060 કેસ નોંધાયા હતા.

જેમાં સામાન્ય દિવસની સરખામણીએ સરેરાશ 4504ની સરખામણીએ 12.34 ટકાનો વધારો નોંધાયો હતો. દિવાળીથી નવા વર્ષના દિવસ સુધીના છેલ્લા 3 દિવસમાં રાજ્યમાં આગ સંબંધિત 102 ઈમરજન્સી કેસ નોંધાયા હતા. રોજ 38 આગ સંબંધિત કટોકટી, 1 નવેમ્બરના રોજ 40 અને 2 નવેમ્બરના રોજ 24 કેસ નોંધાયા હતા. જ્યારે અમદાવાદમાં 28, રાજકોટમાં 8, સુરતમાં 25 અને ભરૂચમાં 7 ફાયર ઈમરજન્સી કેસ નોંધાયા હતા. રાજ્યના મોટાભાગના શહેરોમાં સરેરાશ 10 થી વધુ કેસ નોંધાયા છે.છેલ્લા ત્રણ દિવસમાં માર્ગ અકસ્માતના કુલ 2,829 કેસ નોંધાયા છે. દિવાળી ના રોજ 921, 1 નવેમ્બરના રોજ 827 અને નવા વર્ષના દિવસે 1,081 કેસ નોંધાયા હતા. દૈનિક સરેરાશ 943 કેસ હતા.

આ 481 કેસોની સામાન્ય સરેરાશથી 96.05% નો વધારો દર્શાવે છે. અમદાવાદમાં ઈમરજન્સી કેસોમાં એકંદરે 2.52% નો ઘટાડો જોવા મળ્યો હતો. નોંધનીય છે કે ગુજરાતમાં દિવાળીના દિવસે આગની અનેક ઘટનાઓ બની હતી. જેમાં મોડી રાત સુધી ફાયર બ્રિગેડને કોલ આવતા રહ્યા હતા. દિવાળીના દિવસે આગની ઘટનામાં દુકાનો, બિલ્ડીંગ, શોર્ટ સર્કિટ, શાળા, ગોદામ, ભંગાર, વાહનો વગેરે આગની લપેટમાં આવી ગયા હતા. આગની ઘટનાઓમાં મોટું નુકસાન થયું છે.

સંબંધિત સમાચાર