એક બાજુ નાણામંત્રીએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જીએસટી રેટ ઓછો કરવાને લઈને નાનામાં નાની જાણકારી આપી રહ્યાં હતા. ત્યારે પીએમ મોદીનું પણ આ જાહેરાતને લઈને રિએક્શન સામે આવ્યું છે. તેઓએ આને નવા જમાનાનો જીએસટી ગણાવતા એક્સ પર લખ્યું. સ્વતંત્રતા દિવસ પર સંબોધનમાં મેં કહ્યું હતુ કે, અમે જીએસટીમાં આગલી પેઢીમાં સુધારો લાવવાનો ઇરાદો રાખીએ છીએ. કેન્દ્ર સરકારે વિસ્તૃત પ્રસ્તાવ તૈયાર કર્યો છે. જેમાં વ્યાપક જીએસટી દરનું તાર્કિક પુનર્ગઠન અને પ્રક્રિયા સુધાર સામેલ છે. તેનો ઉદ્દેશ્ય સામાન્ય નાગરિકોના જીવનને સરળ બનાવવું અને અર્થવ્યવસ્થાને મજબૂત કરવાનો છે. વડાપ્રધાન મોદીએ પોતાની વાત પૂરી કરતા આગળ કહ્યું કે, જીએસટી કાઉન્સિલ જેમાં કેન્દ્ર અને રાજ્ય બંને સામેલ છે. મને એ વાતની ખુશી થઈ રહી છે કે, કેન્દ્ર સરકાર દ્વારા પ્રસ્તુત જીએસટી દરોમાં ઘટાડા અને સુધારાના પ્રસ્તાવોને સામુહિક રીતે મંજૂરી આપવામાં આવી છે. તેનાથી સામાન્ય નાગરિક, ખેડૂતો, એમએસએમઈ, મધ્યમ વર્ગ, મહિલાઓ અને યુવાનોને લાભ મળશે. આ વ્યાપક સુધારો આપણા નાગરિકોના જીવનને વધુ સારો બનાવશે અને તમામ માટે, ખાસ કરીને નાના વેપારીઓ અને વ્યવસાયકારો માટે, વેપાર કરવામાં સરળતા રહેશે.
રાષ્ટ્રીય4 સપ્ટેમ્બર, 2025
જીએસટી સુધારો લોકોના જીવનને વધુ સારુ બનાવશે : પીએમ મોદી

ટેગ્સ:#business#PM MODI#Central government#Independence day#Finance minister#GST#economy#GST Council
સંબંધિત સમાચાર
રાષ્ટ્રીયગેસ માટે 4-5 કલાક લાઈનમાં ઉભા રહેવાથી પૂર્વ સરપંચનું મોત
23 કલાક પહેલા
રાષ્ટ્રીયરામ નવમીની શોભાયાત્રા દરમિયાન ભાજપના ધારાસભ્યએ હવામાં ગોળીબાર કર્યો
23 કલાક પહેલા
રાષ્ટ્રીયમંદિરની છતનો ભાગ તૂટી પડતાં એક ભક્તનું મોત
1 દિવસ પહેલા
રાષ્ટ્રીયદેશમાં ગેસની અછત વચ્ચે, LPG સિલિન્ડર ચોરીની એક મોટી ઘટના, 27 સિલિન્ડરની ચોરી
1 દિવસ પહેલા
