રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
રાષ્ટ્રીય30 નવેમ્બર, 2024| Super Admin

સંભલ જિલ્લામાં હિંસા બાદ 10 ડિસેમ્બર સુધી બહારના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ

સંભલ જિલ્લામાં હિંસા બાદ 10 ડિસેમ્બર સુધી બહારના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ

જિલ્લામાં 24 નવેમ્બરે સર્વે દરમિયાન હિંસાનો મામલો સામે આવ્યો હતો. ત્યારથી જિલ્લામાં બહારના લોકોનો પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો છે. શાંતિ જાળવવા માટે, જિલ્લા વહીવટીતંત્રે હવે 10 ડિસેમ્બર સુધી બહારના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. જિલ્લા મેજિસ્ટ્રેટએ જણાવ્યું હતું કે,  કોઈ બહારની વ્યક્તિ, કોઈ સામાજિક સંસ્થા અથવા જનપ્રતિનિધિ સક્ષમ અધિકારીની પરવાનગી વિના 10 ડિસેમ્બર સુધી જિલ્લાની હદમાં પ્રવેશ કરશે નહીં

સંભલમાં કોર્ટના આદેશ પર 19 નવેમ્બરના રોજ પ્રથમ વખત જામા મસ્જિદનો સર્વે કરવામાં આવ્યો હતો. ત્યારથી આ વિસ્તારમાં તણાવનો માહોલ છે. 24 નવેમ્બરે ફરી સર્વે હાથ ધરતી વખતે, મસ્જિદ પછી હિંસા ફાટી નીકળી હતી, જેમાં પથ્થરમારો થયો હતો અને ચાર લોકોના મોત થયા હતા જ્યારે 25 ઘાયલ થયા હતા. કોર્ટે આ આદેશ એક અરજીના આધારે આપ્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે જે જગ્યાએ જામા મસ્જિદ આવેલી છે ત્યાં એક સમયે હરિહર મંદિર હતું.

સંબંધિત સમાચાર