અફઘાનિસ્તાનમાં ફરી એકવાર કુદરતનો પ્રકોપ જોવા મળ્યો છે. પૂર્વીય અફઘાનિસ્તાનના વિવિધ વિસ્તારોમાં આવેલા શક્તિશાળી ભૂકંપના આંચકાને કારણે મોટી તબાહી સર્જાઈ છે. પ્રાથમિક અહેવાલો અનુસાર, આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 8 લોકોના મોત થયા હોવાની પુષ્ટિ થઈ છે, જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. દિલ્હી-NCR, પંજાબ, હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં શુક્રવારે રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનનું હિંદુકુશ હતું. જ્યારે એક બાળકને ઈજા થઈ છે. 5.9ની તીવ્રતાના આ ભૂકંપના આંચકા પાકિસ્તાનના અનેક વિસ્તારોમાં પણ અનુભવાયા હતા, જોકે પાકિસ્તાનમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. આ પહેલા 3 નવેમ્બર 2025ના રોજ અફઘાનિસ્તાનના મઝાર-એ-શરીફમાં 5.9ની તીવ્રતાના ભૂકંપમાં ઓછામાં ઓછા 20 લોકોના મોત થયા હતા. સેંકડો લોકો ઘાયલ થયા હતા. ભૂકંપથી શહેરની ઐતિહાસિક બ્લુ મસ્જિદને પણ નુકસાન પહોંચ્યું હતું. આ મસ્જિદ મઝાર-એ-શરીફનું મુખ્ય ધાર્મિક અને પર્યટન સ્થળ છે.
- હોમ
- /આંતરરાષ્ટ્રીય
- /અફઘાનિસ્તાનમાં ભૂકંપનો આંચકો: કુદરતી હોનારતમાં 8 લોકોના કરુણ મોત
અફઘાનિસ્તાનમાં ભૂકંપનો આંચકો: કુદરતી હોનારતમાં 8 લોકોના કરુણ મોત

સંબંધિત સમાચાર
આંતરરાષ્ટ્રીયઇરાનનો મોટો દાવો, F-35 જેટ તોડી પાડવામાં આવ્યાના અહેવાલો બાદ ઈરાને અમેરિકી પાઇલટને કબ્જામાં લીધો
1 દિવસ પહેલા
આંતરરાષ્ટ્રીયઈરાને અબુ ધાબી પર મિસાઈલ અને ડ્રોનથી હુમલો કર્યો, 5 ભારતીય ઘાયલ
1 દિવસ પહેલા
આંતરરાષ્ટ્રીયઈરાનના હુમલામાં કુવૈતના ડિસેલિનેશન પ્લાન્ટને નુકસાન થયું
1 દિવસ પહેલા
આંતરરાષ્ટ્રીયતમે અમારા એક પુલનો નાશ કર્યો, હવે આગળના વિનાશની રાહ જુઓ
1 દિવસ પહેલા
