મોડાસામાં અરવલ્લી જિલ્લા ગૌરક્ષા પરિષદે જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારિક અને એએસપી સંજય કેશવાલાને મહત્વપૂર્ણ આવેદનપત્ર સુપ્રત કર્યું છે. આ આવેદનપત્રમાં ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ સાથે ગૌવંશની તસ્કરી અને કતલખાના સામે કડક પગલાં લેવાની માંગ કરવામાં આવી છે. જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ગૌવંશની તસ્કરી અને અવૈધ કતલખાનાની પ્રવૃત્તિઓ વધી રહી છે. ગૌરક્ષક કાર્યકર્તાઓ જ્યારે આ પ્રવૃત્તિઓને રોકવાનો પ્રયાસ કરે છે, ત્યારે તેમના પર હુમલા થાય છે અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવે છે. ગૌરક્ષકો પોતાના જીવના જોખમે ગાયોને બચાવવાનું કાર્ય કરી રહ્યા છે. રોકડિયા હનુમાનજી મંદિરથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ગૌરક્ષકો જોડાયા હતા. આવેદનપત્રમાં ગૌરક્ષક કાયદાઓનું કડક પાલન, ગૌરક્ષકો પર થતા હુમલાઓ સામે કાર્યવાહી અને ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા સહિતની માંગણીઓ કરવામાં આવી છે. હિંદુ સંસ્કૃતિમાં ગાયને માતાનું સ્થાન આપવામાં આવ્યું છે અને તેની રક્ષા માટે આ સંગઠન કટિબદ્ધ છે.
ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવા અને ગૌવંશની તસ્કરી કતલખાના સામે કડક પગલાં લેવાની માંગ

ટેગ્સ:#Action#cow#against#mother#demand#declare#nation#take strict#cattle trafficking#slaughterhouses
સંબંધિત સમાચાર
અરવલ્લીઅરવલ્લી જિલ્લા પંચાયતમાં નવા પ્રમુખ-ઉપપ્રમુખની વરણી કરાઈ
2 દિવસ પહેલા
અરવલ્લીજોખમી સફર: શામળાજી મેશ્વો ડેમ રોડ પર પ્રોટેક્શન વોલ ન હોવાથી અકસ્માતનો ભય
3 દિવસ પહેલા
અરવલ્લીઅરવલ્લી જિલ્લાના મોડાસાના દઘાલિયા ડુંગરે ભીષણ આગ: કકરાઈમાતા મંદિર પાસે જંગલ ખાખ
4 દિવસ પહેલા
અરવલ્લીમેઘરજ: કૂવામાં પડેલી ત્રણ નીલગાયોનું દિલધડક રેસ્ક્યુ
5 દિવસ પહેલા
