રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
રાષ્ટ્રીય9 જૂન, 2025| Super Admin

ભારતમાં કોરોનાના કેસ ફરી વધવા માંડ્યા : એક્ટિવ કેસ ૬,૪૯૧ પર પહોંચ્યા

ભારતમાં કોરોનાના કેસ ફરી વધવા માંડ્યા : એક્ટિવ કેસ ૬,૪૯૧ પર પહોંચ્યા
છેલ્લા ૨૪ કલાકમાં ૩૫૮ નવા કેસ નોંધાયા, કોઈ મૃત્યુ નહીં : ગુજરાતમાં પણ ૯૮૦ સક્રિય કેસ સાથે ચિંતાજનક સ્થિતિ : આરોગ્ય મંત્રાલય દ્વારા સાવચેતી રાખવા અપીલ ભારતમાં કોરોના વાયરસની સક્રિયતામાં ફરી એકવાર વધારો જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા સોમવારે સવારે ૧૦ વાગ્યા સુધીમાં જાહેર કરાયેલા તાજા આંકડા અનુસાર, દેશભરમાં કોવિડ-૧૯ના સક્રિય કેસોની સંખ્યા વધીને ૬,૪૯૧ પર પહોંચી ગઈ છે. છેલ્લા ૨૪ કલાકમાં ૩૫૮ નવા કેસ નોંધાયા છે, જોકે રાહતની વાત એ છે કે આ સમયગાળા દરમિયાન કોઈ પણ કોવિડ દર્દીના મૃત્યુની સત્તાવાર નોંધ નથી. રાજ્યવાર કોવિડ કેસની સ્થિતિ કોવિડના કેસોના રાજ્યવાર વિશ્લેષણમાં કેરળ હાલમાં સૌથી આગળ છે, જ્યાં ૧,૯૫૭ સક્રિય કેસ છે. ત્યાર બાદ ગુજરાતમાં ૯૮૦, પશ્ચિમ બંગાળમાં ૭૪૭ અને દિલ્હીમાં ૭૨૮ સક્રિય કેસ નોંધાયા છે. એકલા દિલ્હીમાં જ રવિવારથી સોમવારની વચ્ચે ૪૨ નવા સંક્રમિતો સામે આવ્યા છે. જ્યારે, મહારાષ્ટ્રમાં ૭૭ નવા કેસ સાથે ૬૦૭ સક્રિય કેસ છે. આરોગ્ય મંત્રાલયની અપીલ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે વર્તમાન પરિસ્થિતિ પર સતત નજર રાખતા જણાવ્યું છે કે, હાલ ગભરાવાની જરૂર નથી, પરંતુ સાવચેતી અત્યંત જરૂરી છે. ખાસ કરીને વૃદ્ધો, બીમાર વ્યક્તિઓ અને પહેલાથી કોઈ ગંભીર બીમારીથી પીડિત લોકોને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ જેવી સાવચેતીઓને ફરીથી અપનાવવાની સલાહ આપવામાં આવી છે.

સંબંધિત સમાચાર