રમતગમત5 જૂન, 2025
બેંગલુરુ ભાગદોડ; વિરાટ કોહલીએ પોસ્ટ શેર કરીને પોતાની લાગણીઓ વ્યક્ત કરી

આઈપીએલ ટ્રોફી જીત્યા બાદ, બેંગલુરુ પહોંચેલી આરસીબી ટીમના સ્વાગત માટે મોટી સંખ્યામાં ચાહકો ચિન્નાસ્વામી સ્ટેડિયમ પહોંચ્યા હતા, જેના કારણે ત્યાં ભાગદોડ મચી જવાથી 11 લોકોના મોત થયા હતા.વિરાટ કોહલીએ પણ આ અકસ્માત પર પ્રતિક્રિયા આપી છે. જેમાં લગભગ 11 લોકોનાં મોત નીપજ્યાં હતા. હવે વિરાટ કોહલીએ પણ આ અકસ્માત પર પ્રતિક્રિયા આપી છે, જેમાં તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને પોતાની લાગણીઓ વ્યક્ત કરી છે.
મારી પાસે કહેવા માટે કોઈ શબ્દો નથી; ૧૮ વર્ષમાં પહેલી વાર આરસીબી એ આઈપીએલ ટ્રોફી જીતી, વિરાટ કોહલી સૌથી વધુ ખુશ દેખાયો, જે પહેલી સીઝનથી આ ટીમ સાથે રમી રહ્યો છે. ટ્રોફી જીત્યા પછી કોહલીએ આ જીતને બેંગ્લોરના ચાહકો માટે વિજય ગણાવ્યો હતો. હવે, વિજય પરેડ માટે અપેક્ષા કરતા વધુ ચાહકો પહોંચ્યા બાદ થયેલી નાસભાગમાં ૧૧ લોકોના મોત બાદ, વિરાટ કોહલીએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું - 'મારી પાસે કહેવા માટે કોઈ શબ્દો નથી. હું સંપૂર્ણપણે તૂટી ગયો છું.' તેમણે હાર્ટબ્રેક ઇમોજી પણ મુક્યો. દિગ્ગજ બેટ્સમેન સચિન તેંડુલકરે કહ્યું- 'જે થયું તે દુઃખદ છે.' ભૂતપૂર્વ ફાસ્ટ બોલરે કહ્યું- 'નાસભાગ હાર્ટબ્રેક છે.' યુવરાજ સિંહે લખ્યું- જીતની એક ક્ષણ દુર્ઘટનામાં ફેરવાઈ ગઈ. આરપી સિંહે પણ દુઃખ વ્યક્ત કર્યું છે.
ટેગ્સ:#Bengaluru#Virat Kohli#RCB#Royal challengers Bangalore#stampede#safety concerns#Social Media Reaction#public gathering#IPL trophy#Community Mourning#Chinnaswamy Stadium#Fan Tragedy#Sports Incident#Victory Parade#Emotional Statement#Football Fans




