રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
ગુજરાત6 નવેમ્બર, 2025| Super Admin

મોરબી જિલ્લાના 8 ગામોના ખેડૂતોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને તાત્કાલિક વળતર અને સંપૂર્ણ દેવા માફીની માંગ કરી


કમોસમી માવઠા ના કારણે ખેડૂતોની હાલત કફોડી

(જી.એન.એસ) તા. ૬

મોરબી,

છેલ્લા 15 દિવસમાં વરસેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને થયેલા વ્યાપક નુકસાન વચ્ચે મોરબી જિલ્લાના 8 ગામોના ખેડૂતોએ આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને તાત્કાલિક વળતર અને સંપૂર્ણ દેવા માફીની માંગ કરી છે. વાંકડા, આંદરણા, ચકમપર અને ઝીંકીયારી સહિતના ગામોના ખેડૂતોએ આ આવેદનમાં જોડાઈને સરકારને અપીલ કરી છે કે, પાકના નાશને કારણે થયેલા આર્થિક નુકસાનનું 100 ટકા વળતર આપવામાં આવે અને ખેડૂતોના બધા દેવા માફ કરવામાં આવે.

આ આવેદનપત્રમાં ખેડૂતોએ જણાવ્યું છે કે, કમોસમી વરસાદને કારણે મગફળી, કપાસ, સોયાબીન અને અન્ય પાકોને ભારે નુકસાન થયું છે, જેના કારણે તેમની આવકના મુખ્ય સ્ત્રોત પર ફટકો પડ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે, સરકારી સર્વે પ્રક્રિયા અસરકારક નથી અને તેમને માત્ર નજીવી વળતર મળે છે, જ્યારે વાસ્તવિક નુકસાન લાખો રૂપિયાનું છે. તે ઉપરાંત ખેડૂતો જણાવ્યું હતુ કે, બગડેલા પાકને ખેતરમાંથી કાઢવાનો ખર્ચ પણ 10-12 હજાર રૂપિયા પ્રતિ હેક્ટર થાય છે, જેથી યોગ્ય પ્રમાણમાં વળતર આપવાની માગ કરી છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર, ખેતરમાં બગડી ગયેલા પાકને ખેડાઈ થકી કાઢવામાં મોટો ખર્ચો થતો હોય છે.

ઉલ્લેખનીય છે કે, આ આવેદન ગુજરાતભરમાં ખેડૂત વર્ગના વધતા આક્રોશના સંદર્ભમાં આવ્યું છે, જ્યાં કોંગ્રેસની ‘ખેડૂત આક્રોશ યાત્રા’ પણ સોમનાથથી શરૂ થઈ છે અને ખેડૂતોની સમસ્યાઓને લઈને 100 ટકા વળતરની જાહેરાત કરી છે. મોરબીના ખેડૂતોનું આ આવેદનપત્ર સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓ જેમ કે અમરેલી, જામનગર અને ગીર સોમનાથમાં પણ થઈ રહેલા વિરોધો સાથે જોડાયેલું છે. ભારતીય કિસાન સંઘ જેવા સંગઠનો પણ સર્વેના ‘નાટક’ને બંધ કરીને સીધી સહાય આપવાની માગ કરી રહ્યા છે.

મહત્વનું છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેબિનેટમાં આ મુદ્દે ચર્ચા કરીને તાત્કાલિક સર્વે અને વળતરના આદેશ આપ્યા છે, પરંતુ ખેડૂતોનું કહેવું છે કે સર્વેમાં સમય બગાડ્યા કરતાં ખેડૂતોને સીધી સહાય આપવી જોઈએ. જો માગણીઓ પૂર્ણ ન થઈ આગામી સમયમાં રાજ્યના ખેડૂતો રસ્તાઓ ઉપર ઉતરી શકે છે.



Source link

સંબંધિત સમાચાર