રખેવાળ
બ્રેકિંગ
રાષ્ટ્રીય14 ઑગસ્ટ, 2025

પહેલી સપ્‍ટેમ્‍બરથી ૬ ગ્રેડ ચાંદીની જવેલરી પર હોલમાકિઁગ લાગુ થશે

પહેલી સપ્‍ટેમ્‍બરથી ૬ ગ્રેડ ચાંદીની જવેલરી પર હોલમાકિઁગ લાગુ થશે
બીઆઇએસની માન્‍યતા મળી પણ હોલમાકિઁગ ફરજિયાત નહીં : ચાંદીના આભૂષણો પર એચયુઆઇડી હોલમાકિઁગને બીઆઇએસની માન્‍યતા સોનાના વધી રહેલા ભાવને પગલે ચાંદીના દાગીના સહિતના આર્ટિકલ્‍સની માંગ વધી છે, પરંતુ ચાંદીના દાગીના સહિતના આર્ટિકલ્‍સનું હોલર્માકિંગ ફરજિયાત ન હોવાથી ગ્રાહકો છેતરાય છે. દરમિયાન ચાંદીના આભૂષણો પર એચયુઆઈડી હોલર્માકિંગ માટે બીઆઈએસે માન્‍યતા આપી છે અને આગામી ૧લી સપ્‍ટેમ્‍બરથી ૯ ગ્રેડ ચાંદીની જવેલરી પર સોલર્માકિંગ લાગુ થનાર છે. જોકે, એચયુઆઈડી હોલર્માકિંગ હજુ પણ ફરજિયાત કરાયું નથી.ઈન્‍ડિયન બુલિયન એન્‍ડ જવેલર્સ એસોસિયેશને બીઆઈએસ (બ્‍યુરો ઓફ ઇન્‍ડિયન સ્‍ટાન્‍ડર્ડ્‍સને પત્ર લખી ચાંદીના દાગીના સહિતના આર્ટિકલ્‍સ પર ફરજિયાત હોલમાકિઁગ કરાવવા અને તેમાંય જવેલર્સને સ્‍વહોલર્માકિંગ કરવા દેવા માટે માંગ કરી છે. દરમિયાન આગામી ૧લી સપ્‍ટેમ્‍બરથી ૬ બેંક ચાંદીની જવેલરી (સ્‍વૈચ્‍છિક આધાર) પર એચયુઆઈડી હોલમાકિઁગ લાગુ થનાર હોય એક આશા જાગી છે. ઇન્‍ડિયન બુલિયન એન્‍ડ જવેલર્સ એસ.. ગુજરાતના પ્રમુખે જણાવ્‍યું હતું કે, બીઆઈએસ દ્વારા ચાંદીના દાગીના પર એચયુઆઈડી હોલર્માકિંગ માટે માન્‍યતા આપી દીધી છે. ૯૦૦, ૮૦૦, ૮૩૫, ૯૨૫, ૯૯૦ સૂચ (સ્‍ટાન્‍ડર્સની ચાંદીની જવેલરી પર એચયુઆઈડી હોલમાકિઁગ લાગુ કરાઈ છે. જોકે, હાલ તે ફરજિયાત નથી, પરંતુ વેપારીઓએ આ પ્રયત્‍ન કરવા જોઈએ. કારણ કે, ટૂંક સમયમાં તે મેન્‍ડેટરી થઈ શકે છે. આ  ઉપરાંત જો ગ્રાહક એચયુઆઈડી હોલમાકિઁગના દાગીનાની માંગ કરશે તો તેને ડિમાન્‍ડ મુજબ દાગીના બનાવી આપવા પડશે.    

સંબંધિત સમાચાર