રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
રાષ્ટ્રીય5 ડિસેમ્બર, 2024| Super Admin

રાઉરકેલા રેલ્વે સ્ટેશન પર 60 કિલો ચાંદીના દાગીના જપ્ત ટ્રેન મારફતે ચાંદીની હેરફેર કરવામાં આવી રહી હતી

રાઉરકેલા રેલ્વે સ્ટેશન પર 60 કિલો ચાંદીના દાગીના જપ્ત ટ્રેન મારફતે ચાંદીની હેરફેર કરવામાં આવી રહી હતી

સરકારી રેલ્વે પોલીસ એ ઓડિશાના રૌરકેલા રેલ્વે સ્ટેશન પર 60 કિલો ચાંદીના દાગીના જપ્ત કર્યા છે. મળતી માહિતી મુજબ, આ ચાંદી એક ટ્રેન દ્વારા ગેરકાયદેસર રીતે લઈ જવામાં આવી રહી હતી. પોલીસે આગ્રાથી રાંચી જઈ રહેલા ચંદન કુમાર નામના વ્યક્તિની ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન તેણે સંતોષકારક જવાબો આપ્યા ન હતા, ત્યારબાદ તેને જીએસટી વિભાગને સોંપવામાં આવ્યો હતો. 

ચંદન કુમારે અધિકારીઓને જણાવ્યું કે તેમને રાઉરકેલામાં જ રહેવું પડ્યું કારણ કે તેમને રાંચી માટે સીધી ટ્રેન મળી શકી ન હતી. જો કે, આટલી મોટી માત્રામાં ચાંદી લઈ જવા માટે તેણે કોઈ યોગ્ય જવાબ આપ્યો ન હતો. જીએસટી વિભાગના ડેપ્યુટી કમિશનર એ જણાવ્યું હતું કે ચંદન કુમારે આગ્રામાં 51 કિલો ચાંદી ખરીદી હતી અને તેના માટે કેટલાક બિલ રજૂ કર્યા હતા, પરંતુ આ બિલોમાં ઘણી ગેરરીતિઓ જોવા મળી હતી. વધુમાં, તેણે રાઉરકેલામાં 10 કિલો વધુ ચાંદી ખરીદી હતી પરંતુ તેના માટે કોઈ બિલ રજૂ કર્યું ન હતું.

સંબંધિત સમાચાર