રખેવાળ
બ્રેકિંગ
રાષ્ટ્રીય29 માર્ચ, 2025| Super Admin

મહાકુંભ મેળા દરમિયાન રેલ્વે સ્ટેશનો પર દરવાજા અને બારીના કાચ તૂટવાની 23 ઘટનાઓ બની

મહાકુંભ મેળા દરમિયાન રેલ્વે સ્ટેશનો પર દરવાજા અને બારીના કાચ તૂટવાની 23 ઘટનાઓ બની
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ મેળા દરમિયાન, વિવિધ રેલ્વે સ્ટેશનો પર પેસેન્જર કોચના દરવાજા અને બારીના કાચ તૂટવાની 23 ઘટનાઓ બની હતી, જેના કારણે રેલ્વેને 3.3 લાખ રૂપિયાનું નુકસાન થયું હતું. શુક્રવારે રાજ્યસભામાં એક લેખિત પ્રશ્નના જવાબમાં રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ માહિતી આપી હતી. આ ઘટનાઓમાં રેલવે પ્રોટેક્શન ફોર્સ દ્વારા લેવામાં આવેલી કાયદેસરની કાર્યવાહીમાં 11 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ૧૧ લોકોની ધરપકડ; ડીએમકે સભ્ય સોમુએ કુંભ મેળા દરમિયાન રેલવે સંપત્તિને થયેલા નુકસાન અંગે રેલવે મંત્રી પાસેથી વિગતો માંગી હતી. વૈષ્ણવે જવાબ આપ્યો, કુંભ મેળા દરમિયાન વિવિધ રેલ્વે સ્ટેશનો પર કોચના દરવાજા કે બારીઓ તૂટવાના 23 બનાવો નોંધાયા હતા. તેમણે કહ્યું, આ ઘટનાઓમાં રેલ્વેને લગભગ 3.3 લાખ રૂપિયાનું નુકસાન થયું હતું. બધી ઘટનાઓમાં, રેલ્વે પ્રોટેક્શન ફોર્સ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં 11 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

સંબંધિત સમાચાર