સૂર્યકુમાર સહિતના ખેલાડીઓ બાબા મહાકાલના દર્શન કરવા પહોંચ્યા
ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચેની અંતિમ મેચ ઈંદોરમાં રમાશે.ત્યારે આ મેચ માટે ભારતીય ટીમ નેટ્સ પર પ્રેક્ટિસ કરતી નજરે આવી રહી છે.ત્યારે ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી સૂર્યકુમાર યાદવ સહિત બોલર કુલદિપ યાદવ અને વોશિંગ્ટન સુંદર ઉજ્જેનના બાબા મહાકાલ મંદિરે પહોંચ્યા હતા.ત્યારે મંદિરના ગર્ભગૃહમાં ભસ્મ આરતી દર્શન બાદ ત્રણેય મહાકાળનો જળાભિષેક કર્યો હતો,ત્યારે હાજર પંડિતોએ હર હર મહાદેવનો જય જયકાર પણ કર્યો હતો.જેમાં ત્રણેય ખેલાડીઓએ ગર્ભગૃહમાં ભગવાન મહાકાલના આશીર્વાદ લેવા માટે ધોતી સોલા પહેર્યા હતા.ત્યારે આ ખેલાડીઓએ ઋષભ પંતના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી છે ત્યારે તેની વાપસી અમારા માટે ખૂબ મહત્વપૂર્ણ છે.