ક્રિકેટર્સ પર શ્રીલંકા બોર્ડની કડકાઈ, ૮ મિનિટમાં બે કિમી ન દોડ્યા તો પગાર કપાશે

Sports
Sports

ક્રિકેટની રમત હવે સંપૂર્ણ રીતે બદલાઈ ગઈ છે. બેટ અને બોલની રમતની સાથે સાથે હવે ખેલાડીઓની ફિટનેસ પણ ઘણી જ મહત્વની બની ગઈ છે. આ કડીમાં શ્રીલંકા ક્રિકેટ બોર્ડે કડક ર્નિણય લીધો છે અને હવે પ્લેયર્સને યો યો ટેસ્ટ આપવો પડશે. શ્રીલંકા ક્રિકેટ બોર્ડે તમામ ક્રિકેટર્સને લઈને નવા વર્ષથી ફિટનેસના નવા માપદંડો નક્કી કરી લીધા છે.

ખાસ વાત તો એ છે કે ગાઇડલાઇન્સ મુજબ, જાે ખેલાડી ફિટ નહીં જણાય તો તેમનો પગાર પણ કાપવામાં આવી શકે છે. ગાઇડલાઇન્સમાં કહેવામાં આવ્યું છે કે જાે કોઈ ખેલાડી ૮.૩૫ મિનિટથી ૮.૫૫ મિનિટમાં ૨ કિલોમીટર દોડે છે તો કોન્ટ્રાકટ મુજબ તેમનો જે પગાર નક્કી કર્યો છે તેમાં કપાત કરવામાં આવશે.

શ્રીલંકા ક્રિકેટ બોર્ડના યો યો સ્ટેટમાં ૨ કિલોમીટરની રેસને માપદંડ બનાવવામાં આવ્યું છે. તેમાં જાે કોઈ ૮.૫૫ મિનિટથી વધુનો સમય લે છે તો તેનું ટીમમાં સિલેક્શન નહીં થાય. ૮.૩૫થી ૮.૫૫ મિનિટ પર પગાર કાપવામાં આવશે, જાેકે તેની ટીમમાં પસંદગી કરવામાં આવી શકે છે.તો, જાે કોઈ ખેલાડી ૮.૧૦ મિનિટથી ઓછો સમય લે છે તો તેનું સિલેક્શન ટીમમાં થઇ શકશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.