દિલ્હી કેપિટલ્સના બોલર રબાડા અને નોર્ખિયા પ્રથમ બે મેચ નહીં રમે

Sports
Sports

આઈ.પી.એલના મુકાબલા આગામી 9 એપ્રિલથી શરૂ થવાના છે.ત્યારે આ પહેલાં દક્ષિણ આફ્રિકાએ પાકિસ્તાન વિરુદ્ધ વન-ડે અને ટી-20 શ્રેણી માટે ટીમની જાહેરાત કરી દીધી છે.ત્યારે આઈ.પી.એલની દિલ્હી કેપિટલ્સના કાગિસો રબાડા અને એનરિચ નોર્ખિયા પ્રથમ મેચ રમશે નહીં.

આમ પાકિસ્તાનની ટીમ આવતાં મહિને 3 વન-ડે અને 4 ટી-20 મેચની શ્રેણી રમવા દક્ષિણ આફ્રિકા જવાની છે.ત્યારે વન-ડે ટીમમાં મુંબઈના ક્વિન્ટન ડીકોક,રાજસ્થાન રોયલ્સના ડેવિડ મીલર,ચેન્નાઈ સુપરકિંગ્સના લુંગી એનગીડી તેમજ દિલ્હી કેપિટલ્સના કાગિસો રબાડા અને એનરિચ નોર્ખિયાને સામેલ કરવામાં આવ્યા છે.જે વન-ડે મુકાબલા 2 થી 7 એપ્રિલ વચ્ચે રમાવાના છે.તેવામાં ખેલાડીઓને કોરોનાને કારણે ભારત આવ્યા બાદ ઓછામાં ઓછા એક સપ્તાહ સુધી ક્વોરેન્ટાઈન રહેવું પડશે.ત્યારે દિલ્હીના બે મુકાબલા 10 અને 15 એપ્રિલે રમાવાના છે.જેમાં દિલ્હીની ટીમ ચેન્નાઈ અને રાજસ્થાન સામે પ્રથમ બે રમશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.