ચોથી ટી-૨૦ મેચમાં ભારતની શાનાદાર જીત પર માઈકલ વોને કટાક્ષ કર્યો
ભારત-ઇંગ્લેન્ડની ચોથી ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચમાં ભારતીય ક્રિકેટ ટીમે શાનાદાર વિજય મેળવીને શ્રેણીમાં વાપસી કરી છે. હવે ટી-૨૦ શ્રેણી ૨-૨થી બરાબર થઈ ગઈ છે અને પાંચમી અને અંતિમ મેચથી ટાઇટલ કોની પાસે જશે કે નક્કી થસે. ચોથી ટી-૨૦માં ભારતે ૨૦ ઓવરમાં ૮ વિકેટે ૧૮૫ રન બનાવ્યા હતા.
જેના જવાબમાં ઇંગ્લેન્ડની ટીમે ૨૦ ઓવરમાં ૮ વિકેટ ગુમાવીને માત્ર ૧૭૭ રન જ બનાવી શકી અને મેચ ૮ રને હારી ગઈ. આ મેચનો હીરો સૂર્યકુમાર યાદવ રહ્યો હતો જેમણે તેની પ્રથમ આંતરરાષ્ટ્રીય ઇનિંગ્સમાં અડધી સદી ફટકારી હતી. પરંતુ કેટલાક લોકો એવા હોય છે કે, જે મને ફક્ત બોલવાનું જ હોય છે અને માઇકલ વોન તેવા જ ટિકાકારોમાનો એક છે જેમણે પછી ઝેર ઓક્યુ છે.
ઈંગ્લેન્ડનો પૂર્વ કેપ્ટન હમેશાથી ભારતીય ટીમ અને તેમના ખેલાડીઓને ટાર્ગેટ કરતો રહે છે. ભલે ભારત ગમે તેટલું સારૂ પ્રદર્શન કરે, તેની પાસે કઈકને કઈક કહેવા માટે જરૂર હોય છે. કેટલાક દિવસ પહેલા તેમણે આઈપીએલ ટીમ મુંબઈ ઈન્ડિયન્સને ટીમ ઈન્ડિયા કરતા સારી ગણાવી હતી. તેમની આ ટ્વીટને લઈને લોકોને તેમને ખુબ ટ્રોલ કર્યો હતો અને હવે તેમણે ફરી એક ટ્વીટ કર્યું છે.
આ વખતે તેમણે ફરી એક વાર મુંબઈ ઈન્ડિયન્સનો ઉલ્લેખ કરીને ટ્વીટ કર્યુ છે. ભારતની જીત બાદ વોને ટ્વીટ કરીને લખ્યું, બસ એક વિચાર છે. સૂર્ય કુમાર મુંબઈ ઈન્ડિયન્સથી. હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સથી. રોહિત શર્મા કેપ્ટન મુંબઈ ઈન્ડિયન્સથી. પોતાની આ ટ્વીટ દ્વારા માઈકલ વોને ફરી એક વાક ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને આઈપીએલ ટીમના આધારે ભાગલા પાડી ચર્ચા વધુ વેગ આપવાનો પ્રયાસ કર્યો છે પરંતુ હંમેશાની જેમ લોકોએ તેની આ ટ્વીટનો શાનદાર જવાબ આપ્યો છે.