ભારત વન-ડે શ્રેણીમાં જીત હાંસલ કરવાના ઇરાદે મેદાને ઉતરશે
ભારતીય ટીમ ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ અને ટી-20 શ્રેણી જીત્યા બાદ ટીમ ઈન્ડિયા વન-ડે શ્રેણીમાં જીત મેળવવા માટે સજ્જ બની ગઈ છે. જે શ્રેણીની ત્રણેય મેચ આગામી 23, 26 અને 28 માર્ચે પૂનાના સ્ટેડિયમમાં રમાશે.ટીમ ઈન્ડિયા પોતાના ઘરમાં ઈંગ્લેન્ડ સામે છેલ્લા 29 વર્ષથી દ્વિપક્ષીય વન-ડે શ્રેણીમાં હારી નથી.જેમાં ઈંગ્લેન્ડે ડિસેમ્બર-1984માં 4-1થી શ્રેણી જીતી હતી.આમ ભારતીય ટીમ પાસે પોતાના ઘરમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ સતત છઠ્ઠી શ્રેણી જીતવાની તક છે.ટીમ ઈન્ડિયાએ ઘરમાં માર્ચ-2006માં ઈંગ્લેન્ડને 5-1થી વન-ડે શ્રેણીમાં હરાવી હતી.આમ બન્ને ટીમો વચ્ચે અત્યારસુધી 18 દ્વિપક્ષીય વન-ડે શ્રેણી રમાઈ છે.જેમાં 9માં ભારત જીત્યું,ઈંગ્લેન્ડે 7માં વિજય મેળવ્યો છે.જ્યારે બે શ્રેણી ડ્રો રહી છે.ભારતે ઈંગ્લેન્ડ સામે ટી-20 શ્રેણી જીતીને વિશ્વકપની તૈયારીઓ કરી દીધી છે.