ઓસ્ટ્રેલિયામાં ઇતિહાસ રચી ભારતીય ટિમ પરત ફરી
ભારતીય ખેલાડીઓ ગુરુવારે ઓસ્ટ્રેલિયાથી પરત ફર્યા. આમ ટીમે બ્રિસ્બેનમાં અંતિમ ટેસ્ટ જીતીને ઓસ્ટ્રેલિયાને ટેસ્ટ સીરિઝમાં માત આપીને ઇતિહાસ રચ્યો.હવે ટીમ ઘરઆંગણે ઇંગ્લેન્ડને ત્રણેય ફોર્મેટની સીરિઝમાં હરાવવા તૈયારી કરશે.રોહિત શર્મા સિવાય તમામ ખેલાડી 5 મહિના પછી દેશમાં પરત ફરી રહ્યા છે.આમ IPL માટે 20 ઓગસ્ટની આસપાસ UAE પહોંચ્યા હતા.ત્યાંથી 12 ઓક્ટોબરે ટીમ ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે રવાના થઈ હતી.
જોકે રોહિત શર્મા ઇજાને કારણે દેશ પરત ફર્યો હતો.તે પછી રોહિત સ્વસ્થ થયા બાદ ઓસ્ટ્રેલિયા ગયો હતો.તેણે 4 માંથી અંતિમ 2 મેચમાં જ ભાગ લીધો હતો.આમ ટીમ ઈન્ડિયાના કોચ રવિ શાસ્ત્રી,અજિંક્ય રહાણે,રોહિત શર્મા અને ઋષભ પંત સહિતના તમામ ખેલાડીઓ મુંબઈ એરપોર્ટ પર પહોંચ્યા હતા.દરેક ખેલાડી અહીંથી પોતપોતાના ઘરે જવા રવાના થયા હતા
આમ રિષભ પંતે કહ્યું હતું કે “બોર્ડર-ગાવસ્કર ટ્રોફી સતત ત્રીજી વખત જીતીને તે ખૂબ જ ખુશ છે.ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર તેમની રમતથી આખી ટીમ પણ ખૂબ જ ખુશ છે.”નિયમિત કેપ્ટન વિરાટ કોહલી પેટરનિટી રજા પર ગયા બાદ રહાણેએ ટેસ્ટ શ્રેણીમાં ટીમની કમાન સંભાળી હતી.
આમ ભારતીય ટિમની આગામી 5 ફેબ્રુઆરીથી પ્રથમ ટેસ્ટ શરૂ થશે.જેમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 4 ટેસ્ટ,3 વનડે અને 5 ટી 20 શ્રેણી રમશે.આ ટેસ્ટ શ્રેણી 5 ફેબ્રુઆરીથી શરૂ થશે.તે જ સમયે પિંક બોલ ટેસ્ટ સહિતની છેલ્લી બે ટેસ્ટ અમદાવાદમાં વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરા ખાતે રમાશે.આમ છેલ્લે 3 વનડેની શ્રેણી પુણેમાં રમાશે.
આમ આગામી સમયમાં ઈંગ્લેન્ડ સામેની પ્રથમ 2 ટેસ્ટ માટેની ટીમ જાહેર થઈ છે.જેમાં વિરાટ કોહલી (કેપ્ટન), રહાણે,રોહિત શર્મા,ચેતેશ્વર પુજારા,શુભમન ગિલ,મયંક અગ્રવાલ,ઋષભ પંત,રિદ્ધિમાન સાહા,હાર્દિક પંડ્યા,કેએલ રાહુલ,આર અશ્વિન,વોશિંગ્ટન સુંદર,કુલદીપ યાદવ,અક્ષર પટેલ,જસપ્રિત બુમરાહ,ઈશાંત શર્મા,મોહમ્મદ સિરાજ, શાર્દુલ ઠાકુર.