ભારતે શ્રેણી વિજયની આશા જીવંત રાખવા આજની ટી-20 મેચમાં ઇંગ્લેન્ડને હરાવવું પડશે
ભારતે ઇંગ્લેન્ડ સામે શ્રેણી વિજયની આશા જીવંત રાખવા માટે ઇંગ્લેન્ડ સામેની ચોથી ટી-૨૦ મેચ જીતવી પડશે.આમ ઇંગ્લેન્ડ ભારત સામે વર્તમાનમાં ૨-૧થી સરસાઈ ધરાવે છે.ભારતની ઓપનિંગ જોડી ત્રણ મેચમાં હજીસુધી ડબલ ફિગરની ભાગીદારી નોંધાવી શકી નથી. ત્યારે ભારતે શ્રેણી વિજયની આશા જીવંત રાખવી હોય તો ઓપનિંગ જોડીએ સારો દેખાવ કરવો પડશે.આમ ભારતની શ્રેણી બરોબરી કરવાની આશા કોહલી પર રહેલી છે.તેવા સમયે બીજા ખેલાડીઓએ તેમની રિધમ મેળવવાની જરૂર છે.
આ વર્ષે ભારતમાં ટી-૨૦ વિશ્વકપ રમાવવાનો છે ત્યારે તેના પહેલા ભારતને તેની જ ધરતી પર ટી-૨૦માં હરાવીને શ્રેણી જીતવા માટે મોર્ગન આતુર છે.આમ કરવાથી ટીમના આત્મવિશ્વાસમાં વધારો થશે તેવુ મોર્ગનનું માનવું છે.