ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી માટે સ્ટેડિયમમાં 50 ટકાને જ આવવા દેવાનું આયોજન
ઇંગ્લેન્ડ સામેની ચાર ટેસ્ટની શ્રેણીમાં સ્ટેડિયમમાં અડધા જ પ્રેક્ષકોને આવવા દેવાના આયોજન પર બીસીસીઆઇ કામ કરી રહી છે.આમ કોરોનાની માર્ગદર્શિકાઓના પગલે બીસીસીઆઇ આ ફોર્મ્યુલાને અનુસરી શકે છે.આમ આ ફોર્મ્યુલાનો અમલ કરનારા ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની મદદ પણ લઈ શકે છે.
ઇંગ્લેન્ડ સામેની ચાર ટેસ્ટની શ્રેણીની પ્રથમ બે ટેસ્ટ ચેન્નઈમાં ચેપોક ખાતે અને છેલ્લી બંને ટેસ્ટ અમદાવાદમાં મોટેરા ખાતે રમાશે.આ સિવાય પાંચ ટી-૨૦ પણ અમદાવાદમાં મોટેરા ખાતે રમાશે.બીસીસીઆઇ આ મુદ્દે બંને રાજ્યોના ક્રિકેટ એસોસિયેશનો સાથે અને આરોગ્ય સત્તાવાળાઓ સાથે વાત કરી રહ્યું છે.જોકે આ માટે બીસીસીઆઇ જાહેર આરોગ્યની સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યુ છે.
ઇંગ્લેન્ડ સામેની શ્રેણીમાં ૫૦ ટકા ક્ષમતાએ પ્રેક્ષકોને મંજૂરી આપી શકે તો આ જ ફોર્મ્યુલા આઇપીએલમાં પણ કામ કરી શકે છે.અમદાવાદમાં એક લાખથી વધારે પ્રેક્ષકોની બેઠક ક્ષમતા છે.તેથી સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમનું પાલન કરાવવામાં કોઈ અવરોધ નડી શકે તેમ નથી.આ ઉપરાંત ચેન્નઈ અને અમદાવાદમાં બે અલગ-અલગ બાયો બબલ્સ ઊભી કરવામાં આવનાર છે.તેના પગલે ઇંગ્લેન્ડ પણ પહેલી બે ટેસ્ટ માટે જ તેની ટીમ જાહેર કરવાનું છે.