કોહલી આઠ વર્ષમાં એક પણ ટાઇટલ જીત્યો નથી તો કેપ્ટન શા માટેઃ ગંભીર

Sports
Sports

ન્યુ દિલ્હી,
આઈપીએલ ૨૦૨૧ને લઈને તૈયારીઓ શરુ થઈ ગઈ છે. અનેક ફ્રેન્ચાઈજીએ ખેલાડીઓને રિલીઝ કરી દીધા છે. તેની વચ્ચે ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર અને ભાજપ સાંસદ ગૌતમ ગંભીરે આઈપીએલમાં આરસીબીની ટીમનું નેતૃત્વ કરી રહેલા વિરાટ કોહલી પર નિશાન સાધ્યું છે.
ગૌતમ ગંભીરે સ્ટાર સ્પોટ્‌ર્સ સાથે વાતચીતમાં કોહલી પર પ્રહાર કરતા કહ્યું કે, ૮ વર્ષમાં એક પણ ટ્રોફી નથી જીતી, આ ખૂબજ લાંબો સમય છે. એવો કોણ કેપ્ટન કે પ્લેયર છે જે આઠ વર્ષ એકપણ ટાઈટલ જીત્યા વગર રમી રહ્યો છે.
ગંભીરે કહ્યું કે, આવી નિષ્ફળતા માટે કેપ્ટનની જવાબદારી બને છે. કોહલીએ આગળ આવીને કહેવું જાેઈએ કે તેના માટે તે પોતે જવાબદાર છે. ઉલ્લેખનીય છે કે, આગામી સિઝન આ વર્ષે એપ્રિલમાં યોજાવાની છે. ફેબ્રુઆરીમાં ખેલાડીઓની હરાજી થશે. કોહલીની આરસીબી ટીમે આઠ ખેલાડીઓને રિલીઝ કરી દીધા છે.
ગૌતમ ગંભીરે તેના પર નિશાન તાકતા કહ્યું, આરસીબીની સૌથી મોટી સમસ્યા છે કે, તે દર વર્ષે ફેરફાર કરે છે અને ખેલાડીઓમાં અસુરક્ષાની ભાવના પેદા થાય છે. ગંભીર આફ્રિકી ઓલરાઉન્ડર ક્રિસ મોરિસના રિલીઝ કરવા પર સૌથી વધુ હૈરાન છે. ગૌતમ ગંભીરે કહ્યું, ક્રિસ મોરિસને તમે બહાર કરી દીધો. તમે તેના પર ઘણો વિશ્વાસ કરો છો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.