શ્રીલંકામાં ધવન-દ્રવિડની અગ્નિ પરીક્ષાઃ આજે પ્રથમ વન-ડે

Sports
Sports

કોલંબો,
ટીમ ઈન્ડિયા અને શ્રીલંકા વચ્ચે આવતીકાલે પ્રથમ વન-ડે મુકાબલો રમાનાર છે. પ્રેમદાસા સ્ટેડીયમ ખાતે આજે બપોરે ૩ વાગ્યાથી (ભારતીય સમય મુજબ) મહામુકાબલાનો પ્રારંભ થશે. ટીમ ઈન્ડિયાના યુવા ખેલાડીઓ જાેમ અને જુસ્સા સાથે મેદાનમાં ઉતરશે. નવનિયુકત કેપ્ટન શિખર ધવન અને કોચ રાહુલ દ્રવિડની પણ અગ્નિ પરીક્ષા થશે.
સિનિયર ખેલાડીઓની ટીમ ઈંગ્લેન્ડમાં છે. જેથી યુવા ખેલાડીઓને શ્રીલંકામાં ત્રણ વન-ડે એન ત્રણ ટી-૨૦ માટે પસંદ કરવામાં આવ્યા છે. આજથી શરૂ થનાર વન-ડે અને ટી-૨૦ સિરીઝ શરૂ થનાર છે. જેનો પ્રથમ વન-ડે આજે બપોરે ૩ વાગ્યાથી શરૂ થશે.
નવો કેપ્ટન શિખર ધવન અને નવા કોચ રાહુલ દ્રવિડની આગેવાનીમાં ભારતીય ટીમનો એક નવો અધ્યાય શરૂ થશે. યુવા અને ઉભરતા ખેલાડીઓ શાનદાર દેખાવ કરવા માટે સજજ બનશે.
આજની મેચમાં નીતિશ રાણા, દેવદત પાડીકલ, કૃષ્ણમ ગોથમ જેવા ખેલાડીઓ ડેબ્યુ કરી શકે છે. કોચ દ્રવિડે કહ્યું હતું, તમામ ખેલાડીઓને તક આપવામાં આવશે.
ભારતીય ટીમઃ-
શિખર ધવન (કેપ્ટન), પૃથ્વી શો, દેવદત્ત પડિક્કલ, ઋતુરાજ ગાયકવાડ, સુર્યકુમાર યાદવ, મનીષ પાંડે, હાર્દિક પંડ્યા, નીતિશ રાણા, ઈશાન કિશન(વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), યુજવેન્દ્ર ચહલ, રાહુલ ચાહર, કે ગૌતમ, કળણાલ પંડ્યા, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી, ભુવનેશ્વર કુમાર (વાઈસ કેપ્ટન), દીપક ચાહર, નવદીપ સૈની, ચેતન સકારિયા.
શ્રીલંકાની ટીમઃ-
દસુન શનાકા (કેપ્ટન), ધનંજય ડી સિલ્વા (વાઈસ કેપ્ટન), અવિષ્કા ફર્નાન્ડો, પથુમ નિસંકા, ભાનુકા રાજાપક્સા, ચરિથ અસાલંકા, મિનોદ ભાનુકા, લાહિરુ ઉદારા, વનિંદુ હસારંગા, અશેન બંડારા, રમેશ મેંડિસ, ધનંજય લક્ષણ, પ્રવીણ જયાવિક્રમા, અકીલા ધનંજય, લક્ષણ સંદાકન, લાહિરૂ કુમારા, દુષ્મંથા ચમીરા, કસુન રજિતા, અસિતા ફર્નાન્ડો, ચામિકા કરૂળારત્ને, ઈસુર ઉડાના, બિનુરા ફર્નાન્ડો (ફક્ત ્‌૨૦માં), શિરાન ફર્નાન્ડો, ઈશાન જયારત્ને.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.