ડી વિલિયર્સ-કોહલી આઇપીએલ પહેલાં ચેન્નઇમાં આરસીબીના બાયો-બબલમાં જાેડાયા
ન્યુ દિલ્હી,
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ગુરુવારે માહિતી આપી, સ્ટાર બેસ્ટમેન એબી ડિવિલિયર્સ આગામી ઇન્ડિયન પ્રીમિયર લીગ પહેલાં ચેન્નઇમાં પોતાની ટીમના બાયો-બબલમાં જાેડાઇ ગયો છે. આરસીબીએ ટિ્વટર પર ડિવિલિયર્સની એક તસવીર પોસ્ટ કરતાં લખ્યું, સ્પેસશિપ ઉતરી ગયું છે. એબી ડિવિલિયર્સ ચેન્નઇમાં આરસીબીના બાયો-બબલમાં સામેલ થઇ ગયો છે.
ઉપરાંત ઇંગ્લેન્ડ વિરુદ્ધની સીરિઝમાં શાનદાન પ્રદર્શન કરનાર કેપ્ટન વિરાટ કોહલી પણ આઇપીએલ ૨૦૨૧ માટે ચેન્નઇ પહોંચી ગયો છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે તેના ટિ્વટર હેન્ડલ પર કેપ્ટન કોહલીની તસવીર શેર કરી આ અંગે જાણકારી આપી છે. વિરાટ કોહલી ઇંગ્લેન્ડ વિરુદ્ધ બનાવવામાં આવેલા બાયો-બબલને તોડીને પોતાના ઘરે ગયો હતો. જે બાદ હવે ચેન્નઇ પહોંચતાં તેને સાત દિવસ ક્વોરન્ટાન રહેવું પડશે. બીસીસીઆઇએ એસઓપીમાં ભારત અને ઇંગ્લેન્ડના તે ખેલાડીઓને ક્વોરન્ટાઇનમાંથી છૂટ આપી હતી, જેમણે વનડે સીરિઝના બાયો બબલમાંથી સીધા તેમની આઇપીએલની ટીમના બાયો બબલમાં પ્રવેશ