અમદાવાદમાં ઈંગ્લેન્ડ સામે રમાનારી ટી-20 સિરિઝમાં દર્શકોને એન્ટ્રી મળી શકે તેવી શક્યતા

Sports
Sports

ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમ ભારતના પ્રવાસે આવે તેનુ કાઉન્ટડાઉન શરૂ થઈ ચુક્યુ છે.ત્યારે ભારતમાં કોરોના બાદ પહેલી વખત આંતરરાષ્ટ્રિય ક્રિકેટ રમાવા જઈ રહી છે.ત્યારે ક્રિકેટ બોર્ડે ઈંગ્લેન્ડ સામેની ટી-20 મેચની સિરિઝમાં 50 ટકા દર્શકોને સ્ટેડિયમમાં મંજૂરી આપવા માટે વિચારણા શરૂ કરી છે.

જોકે બોર્ડના અધિકારીએ કહ્યુ હતુ કે,અંતિમ નિર્ણય તો સરકારે લેવાનો છે પણ અમે ઈચ્છીએ છે કે,સ્ટેડિયમની ખાલી પડેલી સીટો ભરાય અને કમસેકમ 50 ટકા પ્રેક્ષકોને મેચ જોવા માટે મંજૂરી આપવામાં આવે.આમ ઉલ્લેખનીય છે કે,ઈંગ્લેન્ડ સામેની ટી 20 સિરિઝ અમદાવાદમાં રમાવાની છે.

જોકે સિરિઝની શરૂઆત ટેસ્ટ મેચોથી થશે.જેમાં ચેન્નાઈમાં પહેલી બે ટેસ્ટ રમાવાની છે અને આ બંને ટેસ્ટમાં દર્શકોને એન્ટ્રી નહીં મળે.ત્યારબાદ અમદાવાદમાં બીજી બે ટેસ્ટ મેચ અને સમગ્ર ટી 20 સિરિઝ રમાવાની છે.જે ટી 20 મેચની સિરિઝની શરૂઆત આગામી 12 માર્ચ થી 20 માર્ચ સુધીમાં બંને ટીમો અમદાવાદમાં પાંચ ટી 20 મેચ રમશે.

આમ અમદાવાદમાં રમનારી બે ટેસ્ટમાં પણ કદાચ થોડાઘણા દર્શકોને એન્ટ્રી મળે તેવી શક્યતા છે.જોકે ક્રિકેટ બોર્ડે સ્પષ્ટ કહ્યુ છે કે,આ અંતિમ નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.