ઈંગ્લેન્ડ સામેની પ્રથમ બે ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરાઇ
ઈંગ્લેન્ડ સામે રમાનાર પ્રથમ બે ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરાઈ છે.જેમાં વિરાટ કોહલી,હાર્દિક પંડ્યા અને ઈશાંત શર્માની ટીમમાં વાપસી થઈ છે.જ્યારે નટરાજનની ટીમમાં પસંદગી થઈ નથી જ્યારે અક્ષર પટેલને ટીમમાં લેવાયો છે.આમ ચેતન શર્માની અધ્યક્ષતામાં આજે મળેલી પસંદગી સમિતિની વર્ચ્યુઅલ બેઠક બાદ ટીમની જાહેરાત કરાઈ હતી.આમ આ ટેસ્ટ મેચ ચેન્નઈમાં રમાશે.
પ્રથમ બે ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયા: વિરાટ કોહલી (કેપ્ટન),રહાણે,રોહિત શર્મા,ચેતેશ્વર પુજારા,શુભમન ગિલ,મયંક અગ્રવાલ,ઋષભ પંત,રિદ્ધિમાન સહા,હાર્દિક પંડ્યા,કેએલ રાહુલ,આર અશ્વિન,વોશિંગ્ટન સુંદર,કુલદીપ યાદવ, અક્ષર પટેલ,જસપ્રિત બુમરાહ,ઈશાંત શર્મા,મોહમ્મદ સિરાજ,શાર્દુલ ઠાકુર.