એશિયા કપને રદ્દ કરવાનું ગાંગુલીનું નિવેદન અર્થ વગરનુંઃ પાકિસ્તાન
ઇસ્લામાબાદ,
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ એશિયા કપને રદ કરવાની વાત કહી હતી. જેના પછી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને મરચા લાગ્યા હોય એમ લાગી છે. ગાંગુલીના નિવેદન બાદ હવે પાકિસ્તાન ક્રિકેટ બોડેર્ પોતાની પ્રતિક્રિયા આપી છે.
મીડિયા રિપોર્ટ મુજબ પીસીબીના ડાયરેક્ટર સમિયુલ હસને કે એશિયા કપને રદ કરવાનું સૌરવ ગાંગુલીનું નિવેદન અર્થ વગરનું છે. આ ટુનાર્મેન્ટનું ભવિષ્ય માત્ર એશિયન ક્રિકેટ કાઉન્સિલ જ નક્કિ કરી શકશે. બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કોઈ કારણ જણાવ્યા વગર એશિયા કપ રદ કરવાની વાત કહી હતી. હસને કે,‘સૌરવ ગાંગુલી ભલે દરેક સપ્તાહે નિવેદન આપતા રહે પરંતુ તેનો કોઈ આધાર અને ફાયદો નથી. એશિયા કંપને લઈ અંતિમ નિર્ણય એસીસી કરશે અને તેની જાહેરાત નજમુલ હસન કરશે. આ અંગે અંતિમ નિર્ણય એસીસીની આગામી બેઠકમાં થઈ શકે છે.’ એશિયા કપનું આયોજન આ વષેર્ સપ્ટેમ્બરમાં થવાનું છે અને