શરીરની જેમ મનનું ધ્યાન રાખવું જતન કરવું જરૂરી છે

સંજીવની
સંજીવની

સામાન્ય રીતે દરેક માણસો પોતાના શરીરનું ખુબ ધ્યાન રાખે છે થાય તેટલું જતન કરે છે પણ મન માટે ભાગ્યે જ કોઈ કાંઈ કરતું હશે, શરીરને સ્વસ્થ રાખવા, સુડોળ રાખવા, મજબુર બનાવવા કોઈ મોર્નીંગવોક કરે છે.કોઈ જીવ જાય છે તો કોઈ સ્વીમીંગ કરે છે. શરીરને પુરતું પોષણ મળે તેને માટે સવારથી સાંજ સુધીમાં કુલ ચારથી છ વાર કોઈપણ પ્રકારની વસ્તુઓ ખાય, આરોગે છે.સવારના જયુસ, દુધ, ચા, નાસ્તો, બપોરનું જમવાનું ઘણું, બપોરના જમતા જ નથી તેવા પણ લોકો છે.સાંજે દુધ, ચા, જયુુસ નાસ્તો પહેલાં દુધ આઈસ્ક્રીમ વિગેરે દ્વારા શરીરને જરૂરી વિટામીન, પ્રોટીન, મીનરલ વિ.પુરતા પ્રમાણમાં મળી રહે તેવો જ ખોરાક દિવસ દરમ્યાન લેતા હોય છે. કેટલાય લોકો નાઈટવોક પણ કરતા હોય છે.આ બધું કરવા પાછળનું કારણ સ્વસ્થ રહેવા, વધુ સારી સ્વસ્થતા મેળવવા દરેક ઋતુ પ્રમાણેના ફ્રુટસ અને બીજા સીઝનલ આહારો પણ લેતા હોય છે.
શારીરિક સ્વસ્થતા અને શારીરિક પ્રવૃત્તિઓમાં બધા એટલા બધા બીઝી થઈ ગયા છે કે શરીર આખાનું સંચાલન કરનાર મન તરફ જાેવાનો, તેનું ધ્યાન રાખવાનો, શારીરિક વિકાસની સાથે માનસિક વિકાસ કરવાનો સમય-ટાઈમ જ નથી.જાે શરીરને સ્વસ્થ રાખવું હોય તો મનને પણ સ્વસ્થ રાખવું જાેઈએ. જાે મન નબળું પડશે તો શરીર કેવી રીતે સ્વસ્થ રહેશે.
આજે દરેકનું ધ્યાન શરીર પર છે.કેમ કે તે દેખાય છે બધા શરીરને જાેઈ શકે છે એટલે જ તેના પર બધા વધુ ધ્યાન આપે છે.મન જે નજર સામે નથી આવતું, દેખાતું નથી એટલે મન તરફ કોઈનું ધ્યાન નથી જતું. શરીરના દરેક અંગો, અવયવો, ઈદ્રીયોનું સંચાલન મન કરે છે.જેટલું પણ જાતજાતનું ખાવાનું બધા ખાય છે તે ચટાકેદાર સ્વાદ માટે અને શરીરના પોષણ માટે સૌથી વધુ આશ્ચર્યની વાત એ છે કે વિકસતા વિજ્ઞાન સાથે આગળ વધતા ભણેલા માણસો પણ પ્રગતિના સાચા હક્કદાર અને શરીરને નિયમિત કરનાર મનને જાણે ભુલી જ ગયા છે.આ વાત કયારેય ન ભુલવી જાેઈએ કે આજ સુધીમાં જેટલી પણ રીસર્ચો થઈ છે અને આજે પણ થઈ રહી છે.રોજ નવી ટેકનોલોજીઓ આવી રહી છે માણસ ચાંદ પર વસવાટ કરવાનું વિચારી રહ્યો છે. એટલું જ નહીં એ દિશામાં ખુબ આગળ વધી ચૂકયો છે અને વધી રહ્યો છે તેબધું જ માનવ મન કરી રહ્યું છે.
આપણે આપડા મનનું ધ્યાન નથી રાખતા કદાચ એટલે જ બીમારીઓ અને અકાળ મૃત્યુ વધી રહ્યા છે. આજનું આધુનિક વિજ્ઞાન પણ કહે છે કે દરેક માણસ ૬૦ ટકા કે તેથી વધુ માનસિક રીતે બિમાર હોય છે અને એટલે જ જાે દરેક માણસો માનસિક રીતે સ્વસ્થ રહે તો શારીરિક સ્વસ્થતા જળવાઈ રહે અને બીમારીની શકયતાઓ આપોઆપ ઘટી જાય છે જે દરેક માણસો માટે ખુબ જ ઉપયોગી છે, જરૂરી છે.
આજના મોટા ભાગના માણસો જાણે છે કે લગભગ દરેક સામાન્ય બીમારીઓ માટે અનેક દવાઓ, ઈંજેકશનો અવેલેબલ છે.એટલે એમ સમજે છે કે જાે કદાચ બિમાર થયા તો દવા કે ઈંજેકશન લઈ લેશું એટલે વાત પુરી એકવાત બધાએ ખાસ સમજવાની જરૂર છે કે આવી પડેલી બીમારીએે વ્યક્તિ માટે ચેતવણી છે, એલાર્મ છે જે સુચવે છે કે આજ સુધી ભલે સુતા, હવે જાગી જાવ અને તમારા તન તથા મનનું પુરતું ધ્યાન રાખો નહીંતર શું થશે તેની ખબર પણ નહીં પડે. માટે જ કહ્યું છે કે ચેતતો નર સદા સુખી. જાે આપણે તન-મનનું પુરતું ધ્યાન રાખશું તો સમસ્યાનો બીમારીઓ સારી રીતે સામનો કરી શકીશું. જલદી તેમાંથી મુકત થઈ શકીશું.જન્મથી આજ સુધીમાં એટલી સમજણ થયા ત્યારથી આજ સુધી ભલે ધ્યાન નથી આપ્યું પણ આજથી, આ ક્ષણથી જાે ધ્યાન આપવાનું શરૂ કરશું તો પણ ફાયદામાં રહેશું.
આપણી પંચેન્દ્રિયો આંખ,કાન, નાક, જીભ અને સ્પર્શ આ બધાનું સંચાલન મન કરે છે.સુખ અને દુઃખની અનુભવી પણ મન કરે છે શરીર તો દરેક કામ કરવા માટેનું એક માધ્યમ છે.દરેક પ્રકારના કામ, વિચાર અને કલ્પનાઓ મનમાંથી ઉદભવે છે.મન વગરનું શરીર એક સામાન્ય યંત્ર જેવું થઈ જાય છે. જે કોઈ ઉપયોગમાં નથી આવી શકતું.ઘણાં વર્ષો પહેલાં ‘આમંત્રણ આરોગ્ય કો’ નામનું એક હિંદી પુસ્તક વાંચ્યું હતું જેમાં અલગ અલગ બાબતોને ખુબ સુંદરતા પૂર્વક આધ્યાત્મીકતા અને ધર્મ સાથે સમજાવી છે.તેમાં લખ્યું હતું કે એકલું શરીર કયારેય કામ નથી આવતું જાે તે શરીરમાં પ્રાણ અને ચેતના ન હોય તેમાં જ લખ્યું હતું કે એમ માનવામાં આવે છે કે આપણું હૃદય,હાર્ટ ત્રણસો વર્ષ સુધી ચાલી શકે તેટલી ક્ષમતા કેપેસીટી તેનામાં છે.હાડકા તથા ખોપડી ખુબ જ મજબુત છે અને લાંબા સમય સુધી કામ કરવાની તેનામાં શક્તિ છે.પ્રાણ જતા શરીર નિષ્ક્રીય થઈ જાય છે. શરીર એમ વિચારે છે કે માણસને માત્ર મારી ચિંતા છે મને ચલાવનારની કોઈ જ ચિંતા નથી એટલે મારે નિષ્ક્રીય થઈ જવું જાેઈએ.આપણે જાણીએ છીએ કે શરીર અને મન બંને એકબીજાના પુરક છે.શરીર વિનાનું મન અને મન વિનાનું શરીર નકામું સાબિત થાય છે. શરીરની કાળજી લો છો તે લેવાની જ છે.હવે મનની કાળજી લઈ તેની શક્તિઓને વિકસાવવા માટેના પ્રયત્નો શરૂ કરી દેવા જાેઈએ.આંતર મનની શક્તિઓ વિકસાવવા ડેવલપ કરવા માટે સેલ્ફ હીપ્નોટીઝમ (સ્વ સંમોહન) પ્રેકટીકલ ટ્રેનીંગ સાથે શીખવું જાેઈએ.અગિયાર વર્ષ અને તેની ઉપરની ઉંમરના દરેક મેલ, ફીમેલે શકય તેટલું વહેલું શીખવું જાેઈએ.જેટલું વહેલું શીખો તેટલા વર્ષો વધુ શકય મેળવી શકાય.માટે રજીસ્ટર્ડ સંસ્થા અને જેટલા વધુ સીનીયર કલીનીકલ હીપ્નોથેરાપીસ્ટ અને માઈન્ડ પ્રોગ્રામર પાસે શીખવું જાેઈએ. એટલે સીનીયર હીપ્નોટીસ્ટ, હીપ્નોથેરાપીસ્ટના અનેક વર્ષોના અનુભવોનો લાભ લઈ શકો.દરેક સ્ટુડન્ટોને જાે આ જ્ઞાન આપવામાં આવે તો તેમની એકેડેમીક લાઈફમાં ફાયદાઓ મેળવી વધુ સારો અભ્યાસ ઓછી મહેનતે કરી શકે અને મોટા થયા પછી પણ જીવનભર ફાયદાઓ લઈ શકે.દરેક પોતાની મેળે પોતાની યાદશક્તિ, ઈચ્છા શક્તિ, વિચારશક્તિ, કલ્પનાશક્તિ ક્રીયેટીવીટી, ધ્યાનશક્તિ (કોન્સનટ્રેશન), કાર્યશક્તિ વગેરે ડેવલપ કરી ટેન્શન, ડીપ્રેશનથી મુકત રહી નિર્ણયશક્તિ (ડીસીઝન મેકીંગ પાવર) પણ ડેવલપ કરી આપ બંને જીવનના દરેક ફીલ્ડમાં આગળ વધી શકાય. એકવીસ વર્ષથી આ ફીલ્ડમાં ઓલ ઈન્ડિયા લેવલ પર કામ કરતી રજી.સંસ્થા સિકસ્થ સેન્સ રિસર્ચ એસો.એન્ડ હોલીસ્ટીક મેડીસીન તરફથી ગુજરાતી, હિંદી અને અંગ્રેજીમાં સેલ્ફ હિપ્નોટીઝમના વર્કશોપનું આયોજન કરવામાં આવે છે. આપણા સેન્ટરમાં વર્કશોપ યોજવા, હીપ્નોટીઝમ પર લેકચર યોજવા કે મનોરંજક કાર્યક્રમ યોજવા તથા દરેક જાતના માનસિક મનોશારીરિક રોગોની સારવાર માટે સંપર્ક કરો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.